ITR ફાઇલ કરવામાં થઈ ગઈ છે ભૂલ? જાણો સુધારવાની રીત, રિફંડમાં મોડું ન થયા તે માટે પસંદ કરો સાચું ફોર્મ

જો ITR ભરતી વખતે ખોટું ફોર્મ પસંદ કર્યું હોય, તો ચિંતા ન કરો. સમયસર ભૂલ સુધારવી જરૂરી છે, નહીં તો રિફંડમાં વિલંબ થઈ શકે છે કે નોટિસ પણ મળી શકે છે.

| Updated on: May 24, 2026 | 3:36 PM
1 / 6
ITR Filing 2026: જો તમે ITR ફાઇલ કરતી વખતે ભૂલથી ખોટું ફોર્મ પસંદ કર્યું હોય, તો ગભરાવાની જરૂર નથી. પરંતુ આ ભૂલને સમયસર સુધારવી ખૂબ જ જરૂરી છે. યોગ્ય ITR ફોર્મ પસંદ ન કરવામાં આવે તો આવકવેરા વિભાગ તમારા રિટર્નને “ખામીયુક્ત રિટર્ન” ગણાવી શકે છે. તેના કારણે રિફંડમાં વિલંબ થઈ શકે છે, નોટિસ મળી શકે છે અને કેટલીક પરિસ્થિતિમાં દંડ પણ લાગી શકે છે.

ITR Filing 2026: જો તમે ITR ફાઇલ કરતી વખતે ભૂલથી ખોટું ફોર્મ પસંદ કર્યું હોય, તો ગભરાવાની જરૂર નથી. પરંતુ આ ભૂલને સમયસર સુધારવી ખૂબ જ જરૂરી છે. યોગ્ય ITR ફોર્મ પસંદ ન કરવામાં આવે તો આવકવેરા વિભાગ તમારા રિટર્નને “ખામીયુક્ત રિટર્ન” ગણાવી શકે છે. તેના કારણે રિફંડમાં વિલંબ થઈ શકે છે, નોટિસ મળી શકે છે અને કેટલીક પરિસ્થિતિમાં દંડ પણ લાગી શકે છે.

2 / 6
આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે તમારી આવકના પ્રકાર અને કેટેગરી પ્રમાણે યોગ્ય ITR ફોર્મ પસંદ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘણા લોકો માત્ર પગાર આધારિત આવક માનીને ITR-1 ફાઇલ કરી દે છે, પરંતુ જો વ્યક્તિ પાસે મૂડી લાભ, બિઝનેસ ઇનકમ અથવા વિદેશી સંપત્તિ હોય તો તે માટે અલગ ફોર્મ લાગુ પડે છે. આવી સ્થિતિમાં ખોટું ફોર્મ સબમિટ થાય તો વિભાગ રિટર્નને અમાન્ય જાહેર કરી શકે છે.

આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે તમારી આવકના પ્રકાર અને કેટેગરી પ્રમાણે યોગ્ય ITR ફોર્મ પસંદ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘણા લોકો માત્ર પગાર આધારિત આવક માનીને ITR-1 ફાઇલ કરી દે છે, પરંતુ જો વ્યક્તિ પાસે મૂડી લાભ, બિઝનેસ ઇનકમ અથવા વિદેશી સંપત્તિ હોય તો તે માટે અલગ ફોર્મ લાગુ પડે છે. આવી સ્થિતિમાં ખોટું ફોર્મ સબમિટ થાય તો વિભાગ રિટર્નને અમાન્ય જાહેર કરી શકે છે.

3 / 6
જો ખોટું ITR ફોર્મ ફાઇલ થઈ જાય, તો આવકવેરા વિભાગ કલમ 139(9) હેઠળ નોટિસ મોકલી શકે છે. સામાન્ય રીતે CPC તરફથી નોટિસ મળ્યા પછી કરદાતાને ભૂલ સુધારવા માટે 15 દિવસનો સમય આપવામાં આવે છે. આ સમયગાળામાં યોગ્ય માહિતી સાથે સાચું ITR ફોર્મ ફરીથી સબમિટ કરવું પડે છે. જો સમયસર જવાબ ન આપવામાં આવે, તો રિટર્ન અમાન્ય ગણાઈ શકે છે.

જો ખોટું ITR ફોર્મ ફાઇલ થઈ જાય, તો આવકવેરા વિભાગ કલમ 139(9) હેઠળ નોટિસ મોકલી શકે છે. સામાન્ય રીતે CPC તરફથી નોટિસ મળ્યા પછી કરદાતાને ભૂલ સુધારવા માટે 15 દિવસનો સમય આપવામાં આવે છે. આ સમયગાળામાં યોગ્ય માહિતી સાથે સાચું ITR ફોર્મ ફરીથી સબમિટ કરવું પડે છે. જો સમયસર જવાબ ન આપવામાં આવે, તો રિટર્ન અમાન્ય ગણાઈ શકે છે.

4 / 6
ભૂલ સુધારવા માટે કરદાતા સુધારેલ રિટર્ન એટલે કે Revised Return ફાઇલ કરી શકે છે. આકારણી વર્ષ 2026-27 માટે સુધારેલ રિટર્ન 31 માર્ચ 2027 સુધી અથવા આકારણી પૂર્ણ થાય તે પહેલાં ફાઇલ કરી શકાય છે. જો આ સમય મર્યાદા ચૂકી જાય તો ITR-U એટલે કે Updated Return દ્વારા પણ સુધારો શક્ય છે, જોકે તેમાં વધારાનો ટેક્સ અને વ્યાજ ચૂકવવું પડી શકે છે.

ભૂલ સુધારવા માટે કરદાતા સુધારેલ રિટર્ન એટલે કે Revised Return ફાઇલ કરી શકે છે. આકારણી વર્ષ 2026-27 માટે સુધારેલ રિટર્ન 31 માર્ચ 2027 સુધી અથવા આકારણી પૂર્ણ થાય તે પહેલાં ફાઇલ કરી શકાય છે. જો આ સમય મર્યાદા ચૂકી જાય તો ITR-U એટલે કે Updated Return દ્વારા પણ સુધારો શક્ય છે, જોકે તેમાં વધારાનો ટેક્સ અને વ્યાજ ચૂકવવું પડી શકે છે.

5 / 6
માત્ર ખોટું ફોર્મ પસંદ કરવાથી સીધો દંડ લાગતો નથી, જો ભૂલ અજાણતા થઈ હોય અને સમયસર સુધારી દેવામાં આવી હોય. પરંતુ જો ખોટી માહિતી આપવી, આવક છુપાવવી અથવા વધુ કપાતનો ખોટો દાવો કરવો જેવી બાબતો સામે આવે તો આવકવેરા વિભાગ વ્યાજ, દંડ અથવા ચકાસણીની કાર્યવાહી કરી શકે છે.

માત્ર ખોટું ફોર્મ પસંદ કરવાથી સીધો દંડ લાગતો નથી, જો ભૂલ અજાણતા થઈ હોય અને સમયસર સુધારી દેવામાં આવી હોય. પરંતુ જો ખોટી માહિતી આપવી, આવક છુપાવવી અથવા વધુ કપાતનો ખોટો દાવો કરવો જેવી બાબતો સામે આવે તો આવકવેરા વિભાગ વ્યાજ, દંડ અથવા ચકાસણીની કાર્યવાહી કરી શકે છે.

6 / 6
ઘણા લોકો ITR ફાઇલ કરતી વખતે સામાન્ય ભૂલો પણ કરે છે. તેમાં રહેણાંક સ્થિતિ, બેંક ખાતાની માહિતી, ટેક્સ રજીમ અથવા આવકની સાચી કેટેગરીને અવગણવી જેવી બાબતો સામેલ છે. તેથી ITR ફાઇલ કરતા પહેલા Form 26AS, AIS અને અન્ય તમામ નાણાકીય દસ્તાવેજો સારી રીતે ચકાસવા જરૂરી છે. યોગ્ય માહિતી અને યોગ્ય ફોર્મ સાથે રિટર્ન ફાઇલ કરવાથી રિફંડ ઝડપથી મળે છે અને ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ઉભી થતી નથી.

ઘણા લોકો ITR ફાઇલ કરતી વખતે સામાન્ય ભૂલો પણ કરે છે. તેમાં રહેણાંક સ્થિતિ, બેંક ખાતાની માહિતી, ટેક્સ રજીમ અથવા આવકની સાચી કેટેગરીને અવગણવી જેવી બાબતો સામેલ છે. તેથી ITR ફાઇલ કરતા પહેલા Form 26AS, AIS અને અન્ય તમામ નાણાકીય દસ્તાવેજો સારી રીતે ચકાસવા જરૂરી છે. યોગ્ય માહિતી અને યોગ્ય ફોર્મ સાથે રિટર્ન ફાઇલ કરવાથી રિફંડ ઝડપથી મળે છે અને ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ઉભી થતી નથી.

Follow Us