મીટરમાં દેખાય છે આ નિશાન? વીજળીનું બિલ ઘટશે કે વધશે? જાણો સત્ય

સ્માર્ટ વીજળી મીટર લાગેલું છે તો તેના ડિસ્પ્લે પર અલગ-અલગ પ્રકારના નાના સિગ્નલ જોવા મળે છે. તેમાં અર્થિંગ જેવું દેખાતું નિશાન પણ હોઈ શકે છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવે છે કે આ નિશાન દેખાય તો વીજળીનું બિલ ઓછું આવે છે

| Updated on: Sep 05, 2026 | 10:06 AM
1 / 6
જો તમારા ઘરમાં સ્માર્ટ વીજળી મીટર લાગેલું છે તો તેના ડિસ્પ્લે પર અલગ-અલગ પ્રકારના નાના સિગ્નલ જોવા મળે છે. તેમાં અર્થિંગ જેવું દેખાતું નિશાન પણ હોઈ શકે છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવે છે કે આ નિશાન દેખાય તો વીજળીનું બિલ ઓછું આવે છે, પરંતુ આ વાત સાચી નથી. ત્યારે ચાલો જાણીએ આ પાછળનું સત્ય.

જો તમારા ઘરમાં સ્માર્ટ વીજળી મીટર લાગેલું છે તો તેના ડિસ્પ્લે પર અલગ-અલગ પ્રકારના નાના સિગ્નલ જોવા મળે છે. તેમાં અર્થિંગ જેવું દેખાતું નિશાન પણ હોઈ શકે છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવે છે કે આ નિશાન દેખાય તો વીજળીનું બિલ ઓછું આવે છે, પરંતુ આ વાત સાચી નથી. ત્યારે ચાલો જાણીએ આ પાછળનું સત્ય.

2 / 6
શું છે અર્થિંગ સિસ્ટમ? : અર્થિંગ વીજળીની સુરક્ષા માટેની મહત્વપૂર્ણ વ્યવસ્થા છે. વીજ ઉપકરણમાં કોઈ કારણસર કરંટ લીક થાય તો તેને સુરક્ષિત રીતે જમીન સુધી પહોંચાડવામાં અર્થિંગ મદદ કરે છે. એટલે અર્થિંગનો મુખ્ય હેતુ વીજ કરંટથી સુરક્ષા આપવાનો છે, બિલ ઘટાડવાનો નહીં.

શું છે અર્થિંગ સિસ્ટમ? : અર્થિંગ વીજળીની સુરક્ષા માટેની મહત્વપૂર્ણ વ્યવસ્થા છે. વીજ ઉપકરણમાં કોઈ કારણસર કરંટ લીક થાય તો તેને સુરક્ષિત રીતે જમીન સુધી પહોંચાડવામાં અર્થિંગ મદદ કરે છે. એટલે અર્થિંગનો મુખ્ય હેતુ વીજ કરંટથી સુરક્ષા આપવાનો છે, બિલ ઘટાડવાનો નહીં.

3 / 6
મીટરમાં શા માટે દેખાય છે? : ડિજિટલ અને સ્માર્ટ મીટરના ડિસ્પ્લે પર વીજ પુરવઠો, લોડ અને મીટરની સ્થિતિ સહિતની વિવિધ ટેક્નિકલ માહિતીના સંકેતો જોવા મળે છે. કેટલાક મીટરમાં અર્થિંગ સાથે જોડાયેલું સિગ્નલ પણ દેખાઈ શકે છે. જોકે, દરેક કંપની અને મોડલમાં આ સિગ્નલનો અર્થ એકસરખો હોય તે જરૂરી નથી.

મીટરમાં શા માટે દેખાય છે? : ડિજિટલ અને સ્માર્ટ મીટરના ડિસ્પ્લે પર વીજ પુરવઠો, લોડ અને મીટરની સ્થિતિ સહિતની વિવિધ ટેક્નિકલ માહિતીના સંકેતો જોવા મળે છે. કેટલાક મીટરમાં અર્થિંગ સાથે જોડાયેલું સિગ્નલ પણ દેખાઈ શકે છે. જોકે, દરેક કંપની અને મોડલમાં આ સિગ્નલનો અર્થ એકસરખો હોય તે જરૂરી નથી.

4 / 6
શું અર્થિંગથી વીજળીનું બિલ ઓછું થાય? : મીટરમાં અર્થિંગનું નિશાન દેખાવાથી વીજળીનું બિલ ઓછું થતું નથી. બિલ મુખ્યત્વે તમારા ઘરમાં વપરાયેલી વીજળીના યુનિટ પર આધારિત હોય છે. એસી, ગીઝર, હીટર અને અન્ય વધુ વીજળી વાપરતા ઉપકરણો લાંબા સમય સુધી ચલાવવાથી વીજ વપરાશ અને બિલ બંને વધી શકે છે.

શું અર્થિંગથી વીજળીનું બિલ ઓછું થાય? : મીટરમાં અર્થિંગનું નિશાન દેખાવાથી વીજળીનું બિલ ઓછું થતું નથી. બિલ મુખ્યત્વે તમારા ઘરમાં વપરાયેલી વીજળીના યુનિટ પર આધારિત હોય છે. એસી, ગીઝર, હીટર અને અન્ય વધુ વીજળી વાપરતા ઉપકરણો લાંબા સમય સુધી ચલાવવાથી વીજ વપરાશ અને બિલ બંને વધી શકે છે.

5 / 6
ખરાબ અર્થિંગથી શું નુકસાન? : અર્થિંગ યોગ્ય ન હોય અને કોઈ ઉપકરણમાંથી કરંટ લીક થાય તો વીજ કરંટ લાગવાનું જોખમ વધી શકે છે. ખાસ કરીને મેટલ બોડીવાળા ફ્રિજ, વોશિંગ મશીન, ગીઝર જેવા ઉપકરણોમાં યોગ્ય અર્થિંગ ખૂબ મહત્વપૂર્ણ છે. તેથી ઘરની ઇલેક્ટ્રિકલ વાયરિંગમાં અર્થિંગને અવગણવું નહીં.

ખરાબ અર્થિંગથી શું નુકસાન? : અર્થિંગ યોગ્ય ન હોય અને કોઈ ઉપકરણમાંથી કરંટ લીક થાય તો વીજ કરંટ લાગવાનું જોખમ વધી શકે છે. ખાસ કરીને મેટલ બોડીવાળા ફ્રિજ, વોશિંગ મશીન, ગીઝર જેવા ઉપકરણોમાં યોગ્ય અર્થિંગ ખૂબ મહત્વપૂર્ણ છે. તેથી ઘરની ઇલેક્ટ્રિકલ વાયરિંગમાં અર્થિંગને અવગણવું નહીં.

6 / 6
નિશાન દેખાય તો શું કરવું? : મીટર પર માત્ર અર્થિંગનું નિશાન દેખાય અને મીટર સામાન્ય રીતે કામ કરતું હોય તો ગભરાવાની જરૂર નથી. પરંતુ સાથે કોઈ એરર કોડ, ચેતવણી અથવા અસામાન્ય સંકેત દેખાય તો મીટર જાતે ખોલવાનો પ્રયાસ ન કરો. વીજ વિભાગ અથવા યોગ્ય ઇલેક્ટ્રિશિયન પાસે તપાસ કરાવવી વધુ સુરક્ષિત છે. વીજળીનું બિલ ઓછું કરવા માટે વીજ વપરાશ ઘટાડવો જરૂરી છે.

નિશાન દેખાય તો શું કરવું? : મીટર પર માત્ર અર્થિંગનું નિશાન દેખાય અને મીટર સામાન્ય રીતે કામ કરતું હોય તો ગભરાવાની જરૂર નથી. પરંતુ સાથે કોઈ એરર કોડ, ચેતવણી અથવા અસામાન્ય સંકેત દેખાય તો મીટર જાતે ખોલવાનો પ્રયાસ ન કરો. વીજ વિભાગ અથવા યોગ્ય ઇલેક્ટ્રિશિયન પાસે તપાસ કરાવવી વધુ સુરક્ષિત છે. વીજળીનું બિલ ઓછું કરવા માટે વીજ વપરાશ ઘટાડવો જરૂરી છે.

Follow Us
Loading...
Unable to load recommendations.