
ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડો-ઠંડો શેરડીનો રસ અમૃત જેવો લાગે છે, પરંતુ નિષ્ણાતોના મતે તે દરેક માટે વરદાન નથી. અમુક પરિસ્થિતિમાં આ રસ પીવો એટલે આફતને આમંત્રણ આપવા જેવું છે.

જે લોકોનું શુગર લેવલ સતત હાઈ રહે છે, તેમના માટે શેરડીનો રસ અત્યંત જોખમી છે. તેમાં રહેલી નેચરલ સુગર લોહીમાં ભળતા જ શુગર લેવલને આસમાને પહોંચાડી શકે છે.

જો તમે વજન ઘટાડવા માંગો છો અથવા ઓબેસિટીથી પરેશાન છો, તો આ મીઠો રસ તમારા માટે વિલન સાબિત થઈ શકે છે. હાઈ કેલરી ધરાવતો આ રસ શરીરમાં જઈને ચરબીમાં વધારો કરે છે.

નિષ્ણાતો કહે છે કે જો તમારું વજન વધારે હોય પણ શુગર કંટ્રોલમાં હોય, તો જ અઠવાડિયામાં માત્ર એક ગ્લાસ રસ પીવાની હિંમત કરવી, બાકી તેનાથી અંતર રાખવું જ હિતાવહ છે.

જે લોકોને વારંવાર ગેસ, અપચો કે પેટમાં દુખાવાની ફરિયાદ રહેતી હોય, તેમના માટે શેરડીનો રસ 'ઝેર' સમાન છે. તે પેટની સમસ્યાઓને અનેકગણી વધારી શકે છે.

શેરડીનો રસ પીવા માટે પણ એક ચોક્કસ રીત છે. ક્યારેય પણ ભૂખ્યા પેટે અથવા તો વધુ પડતા પ્રમાણમાં રસ ન પીવો જોઈએ, નહીં તો શરીરમાં આડઅસર થઈ શકે છે.

શેરડીનો રસ પીવો એ ખોટું નથી, પરંતુ તમારા શરીરની સ્થિતિને સમજવી જરૂરી છે. સ્વાસ્થ્યને નજરઅંદાજ કરીને પીધેલો એક ગ્લાસ રસ તમને હોસ્પિટલના ખાટલે પહોંચાડી શકે છે.