
જણાવી દઈએ કે, જો ટ્રેન 3 કલાકથી વધુ મોડી પડે છે તો મુસાફર તેની ટિકિટની રકમ પરત મેળવવાનો દાવો કરી શકે છે. ભારતીય રેલવેના નિયમો અનુસાર, જો ટ્રેન 3 કલાકથી વધુ મોડી પડે છે, તો મુસાફર રિફંડનો દાવો કરી શકે છે.

ભારતીય રેલવેના નિયમો મુજબ, જો ટ્રેન 3 કલાક કે તેથી વધુ મોડી ચાલી રહી હોય અને મુસાફર પોતાની મુસાફરી રદ કરવા માંગે છે, તો તેને ટિકિટનું સંપૂર્ણ રિફંડ મળી શકે છે. જો કે, આના માટે મુસાફરે કેટલીક શરતો પર પણ ધ્યાન આપવું જોઈએ.

જો તમે ટ્રેન મોડી પડવાને કારણે તમારી મુસાફરી રદ કરી હોય, તો તમારે રિફંડ માટે TDR (ટિકિટ ડિપોઝિટ રિસીટ) ફાઇલ કરવાનું રહેશે. IRCTC ની સત્તાવાર વેબસાઇટ પર જઈને TDR ફાઇલ કરી શકાય છે. આ પછી 'રિફંડ' બેંક ખાતામાં જમા થઈ જાય છે. સામાન્ય રીતે, આ રિફંડ 5 થી 7 દિવસમાં જમા થાય છે.