
સરકારએ આ નવી ટેક્નોલોજીનો પાયલોટ ટેસ્ટ દેશના 10 સ્થળોએ શરૂ કર્યો હતો, જે સફળ રહ્યો. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ લોકસભામાં જણાવ્યું છે કે આગામી એક વર્ષમાં આ અવરોધ-મુક્ત ટોલ સિસ્ટમ સમગ્ર દેશમાં લાગુ કરી દેવામાં આવશે. આ નિર્ણય હાઈવેયો પરનું ટ્રાફિક ઘટાડવામાં, મુસાફરીનો સમય બચાવવામાં અને ઇંધણની બચતમાં મદદરૂપ બનશે.

એક તરફ ટોલ સિસ્ટમ આધુનિક બની રહી છે ત્યારે બીજી તરફ કેન્દ્ર સરકાર પર્યાવરણ જાળવણી માટે વૈકલ્પિક ઇંધણને પણ પ્રોત્સાહન આપી રહી છે. નીતિન ગડકરીએ જણાવ્યું કે ભવિષ્યનું પર્યાવરણ-મૈત્રી ઇંધણ હાઇડ્રોજન છે. તેમણે ટોયોટાની Mirai હાઇડ્રોજન કારનો ઉપયોગ શરૂ કર્યો છે અને દેશને પરંપરાગત ઇંધણથી દૂર કરીને સ્વચ્છ એનર્જી તરફ દોરવાનો ઉદ્દેશ્ય રાખ્યો છે.