
આ કાફેની અનોખી પહેલથી એકસાથે બે સમસ્યાઓનું નિરાકરણ આવ્યું છે. કાફેના આ પગલાથી પર્યાવરણમાં પ્રદૂષણ ફેલાવતા પ્લાસ્ટિકને સરળતાથી એકત્રિત કરી શકાય છે અને પછી રિસાયક્લિંગ માટે મોકલી શકાય છે. આ ઉપરાંત, કચરાના ઢગલા ઘટાડવામાં મદદ મળી શકે છે અને પર્યાવરણને સ્વચ્છ બનાવી શકાય છે.

બીજું કે, ગરીબીને કારણે ઘણા દિવસો સુધી ભૂખ્યા સૂતા લોકો માટે આ કાફે કોઈ ચમત્કારથી ઓછો નથી. આ 'ગાર્બેજ કાફે' ખરેખર એક નવી વિચારસરણી અને જન કલ્યાણ માટે એક ઉમદા પગલું છે.

ભારત સ્થિત આ 'ગાર્બેજ કાફે' છત્તીસગઢના અંબિકાપુર શહેરમાં આવેલું છે. વાસ્તવમાં, આ પહેલ અંબિકાપુર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવી હતી.