
દિવાળી, છઠ પૂજા, હોળી અને લગ્નની સિઝન દરમિયાન ટ્રેન ટિકિટની ભારે માંગ હોય છે. ટિકિટ બુકિંગ વિન્ડો ખુલતાની સાથે જ લોકો ટિકિટ મેળવવા માટે પડાપડી કરે છે. આ પરિસ્થિતિ લગભગ તત્કાલ ટિકિટ જેવી છે. નવા નિયમથી બુકિંગ પ્રક્રિયા વધુ પારદર્શક બનશે અને નકલી બુકિંગ ઘટશે તેવી અપેક્ષા છે.

આ પહેલા જુલાઈ 2025 થી તત્કાલ ટિકિટ બુકિંગ માટે આધાર વેરિફાઇડ IRCTC એકાઉન્ટ ફરજિયાત કરવામાં આવ્યું છે. એવામાં જે મુસાફરો આધાર વેરિફિકેશન કરાવતા નથી તેઓ ઓનલાઈન તત્કાલ ટિકિટ બુક કરી શકતા નથી. હવે આ નિયમ જનરલ રિઝર્વેશન પર પણ લાગુ થવાનો છે.

આવી સ્થિતિમાં, મુસાફરોને 1 ઓક્ટોબર પહેલા તેમના IRCTC એકાઉન્ટને આધાર નંબર સાથે લિંક કરવાની સલાહ આપવામાં આવી છે. જનરલ રિઝર્વેશન માટે બુકિંગ દરરોજ રાત્રે 12:20 થી રાતના 11:45 વાગ્યા સુધી ખુલે છે અને ટિકિટ બુકિંગ મુસાફરીની તારીખના 60 દિવસ પહેલા શરૂ થાય છે. નવો નિયમ ફક્ત શરૂઆતના 15-મિનિટના સમયગાળા માટે જ લાગુ થશે, જ્યારે ટિકિટની માંગ સૌથી વધુ હશે.