
માછલી: ઓમેગા-૩ ફેટી એસિડથી ભરપૂર માછલી આંખોની સુકાવાની સમસ્યાને દૂર કરે છે અને રેટિનાને સ્વસ્થ રાખે છે.

સૂર્યમુખીના બીજ: તેમાં એન્ટીઑકિસડન્ટ અને વિટામિન E હોય છે, જે આંખોની રોશની જાળવી રાખે છે અને મોતિયાનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે.

બદામ: બદામમાં વિટામિન E હોય છે, જે આંખના કોષોને નુકસાન થવાથી બચાવે છે. તદુપરાંત આંખોની જે વધતી ઉંમરની પ્રક્રિયાને ધીમી કરે છે.

ઈંડા: ઈંડામાં વિટામિન એ, લ્યુટીન અને ઝીંક હોય છે, જે આંખના કોષોને મજબૂત બનાવે છે અને મોતિયાને આવતું અટકાવે છે.

ગાજર: ગાજરમાં બીટા-કેરોટીન હોય છે, જે શરીરમાં જઈને 'વિટામિન A'માં બદલાઈ જાય છે. આ આંખોની રોશની વધારવામાં મદદ કરે છે તેમજ રાત્રિના સમયે જોવાની દ્રષ્ટિમાં પણ સુધાર લાવે છે.

તમે તમારી જીવનશૈલીમાં જો યોગ્ય આહાર લેવાનું શરૂ કરો છો, તો તમને આંખોને લગતી સમસ્યાથી રાહત મળે છે. બીજું કે, આવા હેલ્ધી આહારથી તમારી આંખો પણ સ્વસ્થ રહે છે. (Disclaimer: આ આર્ટિકલ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. આથી, જો આંખને લગતી કોઈપણ તકલીફ હોય તો સૌથી પહેલા તમારા ડૉક્ટરની સલાહ લો.)