
તો શું નખ અને વાળ લાંબા સમય સુધી વધે છે? — જવાબ છે ના. આ ફક્ત થોડો સમય સુધી ચાલે છે, કારણ કે આખી શરીરપ્રક્રિયા સંપૂર્ણ બંધ થવામાં થોડીવાર લાગે છે. ખાસ કરીને કોષોની પ્રવૃત્તિઓ. એ જ કારણ છે કે બ્રેઇન ડેડ જાહેર થયા પછી પણ નખ અને વાળમાં સામાન્ય વધારો જોવાય છે.

અંતે, મૃત્યુ પછી નખ અને વાળ કેમ વધતા બંધ થાય છે તે પણ સમજીએ. મીડિયા રિપોર્ટ મુજબ, નખ અને વાળ વધવા માટે નવા કોષોનું ઉત્પાદન જરૂરી છે, અને તેના માટે ગ્લુકોઝ જોઈએ છે. મૃત્યુ પછી શરીરમાં ગ્લુકોઝ ઉપલબ્ધ રહેતું નથી, જેના કારણે નખ અને વાળ વધવાનું બંધ થઈ જાય છે. (Image - Canva)