શું તમારી છત પણ અગન ભઠ્ઠીની જેમ તપે છે ? આ 4 સસ્તા ઉપાયોથી ઘરને રાખો કુદરતી રીતે ઠંડું

ઉનાળામાં ટોપ ફ્લોર પર રહેવું હવે સજા નહીં લાગે! એસી કે કુલર ફેઈલ જાય તેવી ગરમીમાં પણ આ અખતરા તમારી છતને ઠંડક આપશે. જાણો કેવી રીતે સામાન્ય વસ્તુઓથી તમે ઘરનું તાપમાન ઘટાડી શકો છો.

| Updated on: Apr 13, 2026 | 5:03 PM
1 / 6
કાળઝાળ ગરમીની શરૂઆત થતા જ સૌથી મોટી સમસ્યા ઘરની છત તપવાની હોય છે. ખાસ કરીને જેઓ સૌથી ઉપરના માળે રહે છે, તેમના માટે બપોરના સમયે ઘરમાં બેસવું મુશ્કેલ બની જાય છે. ગરમ છતને કારણે પંખા પણ લૂ ફેંકવા લાગે છે. પરંતુ, શું તમે જાણો છો કે ખર્ચાળ વોટરપ્રૂફિંગ કે મોંઘી ટ્રીટમેન્ટ વગર પણ તમે તમારી છતને ઠંડી રાખી શકો છો? અહીં કેટલાક એવા દેશી અને અસરકારક રસ્તાઓ છે જે તમારી છતને ગરમીથી બચાવશે.

કાળઝાળ ગરમીની શરૂઆત થતા જ સૌથી મોટી સમસ્યા ઘરની છત તપવાની હોય છે. ખાસ કરીને જેઓ સૌથી ઉપરના માળે રહે છે, તેમના માટે બપોરના સમયે ઘરમાં બેસવું મુશ્કેલ બની જાય છે. ગરમ છતને કારણે પંખા પણ લૂ ફેંકવા લાગે છે. પરંતુ, શું તમે જાણો છો કે ખર્ચાળ વોટરપ્રૂફિંગ કે મોંઘી ટ્રીટમેન્ટ વગર પણ તમે તમારી છતને ઠંડી રાખી શકો છો? અહીં કેટલાક એવા દેશી અને અસરકારક રસ્તાઓ છે જે તમારી છતને ગરમીથી બચાવશે.

2 / 6
ગ્રીન નેટનો જાદુ: તમે નર્સરીમાં જે લીલી જાળી જુઓ છો, તે તમારી છત માટે વરદાન સાબિત થઈ શકે છે. આ નેટ સૂર્યના સીધા કિરણોને છત પર પડતા અટકાવે છે. તેનાથી છતની સપાટી ગરમ નથી થતી અને નીચેના રૂમમાં ગરમીનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટી જાય છે.

ગ્રીન નેટનો જાદુ: તમે નર્સરીમાં જે લીલી જાળી જુઓ છો, તે તમારી છત માટે વરદાન સાબિત થઈ શકે છે. આ નેટ સૂર્યના સીધા કિરણોને છત પર પડતા અટકાવે છે. તેનાથી છતની સપાટી ગરમ નથી થતી અને નીચેના રૂમમાં ગરમીનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટી જાય છે.

3 / 6
ટેરેસ ગાર્ડનિંગ: જો તમને છોડનો શોખ હોય તો આ સૌથી શ્રેષ્ઠ રસ્તો છે. છત પર કુંડા અથવા નાની ક્યારીઓ બનાવવાથી માટી અને છોડ ગરમીને શોષી લે છે. જ્યારે તમે છોડમાં પાણી નાખો છો, ત્યારે બાષ્પીભવનની પ્રક્રિયાને કારણે છત કુદરતી રીતે ઠંડી રહે છે.

ટેરેસ ગાર્ડનિંગ: જો તમને છોડનો શોખ હોય તો આ સૌથી શ્રેષ્ઠ રસ્તો છે. છત પર કુંડા અથવા નાની ક્યારીઓ બનાવવાથી માટી અને છોડ ગરમીને શોષી લે છે. જ્યારે તમે છોડમાં પાણી નાખો છો, ત્યારે બાષ્પીભવનની પ્રક્રિયાને કારણે છત કુદરતી રીતે ઠંડી રહે છે.

4 / 6
કંતાનના કોથળાનો દેશી જુગાડ: આ સૌથી સસ્તો અને અસરકારક રસ્તો છે. રાત્રે શાંતિથી ઊંઘવા માટે સાંજની સમયે છત પર કંતાન (જૂટ) ના કોથળા બિછાવી દો અને તેના પર થોડું પાણી છાંટો. આનાથી છતની અંદર રહેલી ગરમી શાંત થઈ જશે અને આખી રાત રૂમ એસી જેવો ઠંડો રહેશે.

કંતાનના કોથળાનો દેશી જુગાડ: આ સૌથી સસ્તો અને અસરકારક રસ્તો છે. રાત્રે શાંતિથી ઊંઘવા માટે સાંજની સમયે છત પર કંતાન (જૂટ) ના કોથળા બિછાવી દો અને તેના પર થોડું પાણી છાંટો. આનાથી છતની અંદર રહેલી ગરમી શાંત થઈ જશે અને આખી રાત રૂમ એસી જેવો ઠંડો રહેશે.

5 / 6
પાણીનો છંટકાવ કરવાની સાચી રીત: ઘણા લોકો બપોરે છત પર પાણી છાંટતા હોય છે, જે ભૂલભરેલું છે. બપોરે પાણી છાંટવાથી બફારો (ઉમસ) વધી શકે છે. હંમેશા સૂર્ય આથમી ગયા પછી જ છત પર પાણી છાંટવું જોઈએ જેથી દિવસભરની ગરમી નીકળી જાય.

પાણીનો છંટકાવ કરવાની સાચી રીત: ઘણા લોકો બપોરે છત પર પાણી છાંટતા હોય છે, જે ભૂલભરેલું છે. બપોરે પાણી છાંટવાથી બફારો (ઉમસ) વધી શકે છે. હંમેશા સૂર્ય આથમી ગયા પછી જ છત પર પાણી છાંટવું જોઈએ જેથી દિવસભરની ગરમી નીકળી જાય.

6 / 6
આ સરળ અને ઘરેલું નુસખાઓ અપનાવીને તમે આ ઉનાળામાં વીજળીનું બિલ પણ બચાવી શકશો અને ગરમીથી પણ રાહત મેળવી શકશો.

આ સરળ અને ઘરેલું નુસખાઓ અપનાવીને તમે આ ઉનાળામાં વીજળીનું બિલ પણ બચાવી શકશો અને ગરમીથી પણ રાહત મેળવી શકશો.

Follow Us