જનતાનો અવાજ ‘ગાદી’ પણ ડગમગાવી શકે છે… ઇતિહાસ જોઈ લો ! જાણો ક્યારે અને કેમ લોકશાહીની તાકાત સામે ‘સરકાર’ ઘૂંટણિયે પડી ?

ઇતિહાસ સાક્ષી છે કે, લોકશાહીમાં સૌથી મોટી શક્તિ જનતાના અવાજમાં છે. એવામાં જ્યારે પણ સરકારે પ્રજાના ન્યાયી અવાજને દબાવવાનો પ્રયત્નો કર્યા છે, ત્યારે ત્યારે અહિંસક 'ભૂખ હડતાલ' સામે મોટી-મોટી સત્તાઓને પણ ઝૂકવું પડ્યું છે. ડિજિટલ યુગના કોઈ પણ પ્રોપેગેન્ડા કે એલ્ગોરિધમ આ નૈતિક બળને દબાવી શકતા નથી.

| Updated on: Jul 18, 2026 | 3:12 PM
1 / 12
ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ સરકારે પ્રજાનો અવાજ નથી સાંભળ્યો, ત્યારે અહિંસક 'ભૂખ હડતાલ' એ મોટી-મોટી સત્તાઓને પણ ઝુકાવી દીધી છે. ગાંધીજીના આત્મશુદ્ધિના ઉપવાસથી લઈને આધુનિક ભારતમાં લદ્દાખની બરફીલી વાદીઓમાં ચાલી રહેલા સોનમ વાંગચુકના આંદોલન સુધી, ભૂખ હડતાલ એ માત્ર શરીરને કષ્ટ આપવાની વાત નથી પણ સાચા માર્ગે લડવાની આત્મશક્તિ છે. આ નૈતિક બળનું એ ચરમ પ્રદર્શન છે કે, જેણે ઇતિહાસના પાના બદલ્યા છે અને નવા કાયદાઓને જન્મ આપ્યો છે.

ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ સરકારે પ્રજાનો અવાજ નથી સાંભળ્યો, ત્યારે અહિંસક 'ભૂખ હડતાલ' એ મોટી-મોટી સત્તાઓને પણ ઝુકાવી દીધી છે. ગાંધીજીના આત્મશુદ્ધિના ઉપવાસથી લઈને આધુનિક ભારતમાં લદ્દાખની બરફીલી વાદીઓમાં ચાલી રહેલા સોનમ વાંગચુકના આંદોલન સુધી, ભૂખ હડતાલ એ માત્ર શરીરને કષ્ટ આપવાની વાત નથી પણ સાચા માર્ગે લડવાની આત્મશક્તિ છે. આ નૈતિક બળનું એ ચરમ પ્રદર્શન છે કે, જેણે ઇતિહાસના પાના બદલ્યા છે અને નવા કાયદાઓને જન્મ આપ્યો છે.

2 / 12
તાજેતરમાં જ લદ્દાખની બરફીલી વાદીઓમાં શૂન્યથી નીચેના તાપમાન વચ્ચે પર્યાવરણવિદ સોનમ વાંગચુક દ્વારા પોતાની 21 દિવસની ભૂખ હડતાલ (જો કે, 18 જુલાઈની સવારે 7 વાગ્યે સોનમ વાંગચુકને પોલીસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે) પૂર્ણ કર્યા પછી દેશમાં ફરી એકવાર આ પ્રાચીન અને નૈતિક પ્રતિકાર પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ માત્ર એક વ્યક્તિનું અનશન નથી પરંતુ આ એ વાતનું પ્રતીક છે કે, કેવી રીતે વર્ષ 2026ના આ આધુનિક અને ડિજિટલ યુગમાં પણ એક નાગરિક પોતાના અધિકારો, પર્યાવરણ તેમજ ભવિષ્યની રક્ષા માટે પોતાના શરીરને તપાવવા માટે તૈયાર છે.

તાજેતરમાં જ લદ્દાખની બરફીલી વાદીઓમાં શૂન્યથી નીચેના તાપમાન વચ્ચે પર્યાવરણવિદ સોનમ વાંગચુક દ્વારા પોતાની 21 દિવસની ભૂખ હડતાલ (જો કે, 18 જુલાઈની સવારે 7 વાગ્યે સોનમ વાંગચુકને પોલીસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે) પૂર્ણ કર્યા પછી દેશમાં ફરી એકવાર આ પ્રાચીન અને નૈતિક પ્રતિકાર પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ માત્ર એક વ્યક્તિનું અનશન નથી પરંતુ આ એ વાતનું પ્રતીક છે કે, કેવી રીતે વર્ષ 2026ના આ આધુનિક અને ડિજિટલ યુગમાં પણ એક નાગરિક પોતાના અધિકારો, પર્યાવરણ તેમજ ભવિષ્યની રક્ષા માટે પોતાના શરીરને તપાવવા માટે તૈયાર છે.

3 / 12
ડિજિટલ યુગમાં જ્યાં નેરેટિવ (પ્રવાહ) પલભરમાં બદલાય છે, ત્યાં ‘સત્યાગ્રહ’ (ભૂખ હડતાલ) એક એવું નૈતિક શસ્ત્ર છે કે; જેને કોઈ પણ એલ્ગોરિધમ કે પ્રોપેગેન્ડા દબાવી શકતું નથી. આમાં જ્યારે કોઈ વ્યક્તિ વ્યવસ્થાની સામે પોતાના શ્વાસ દાવ પર લગાવે છે, ત્યારે તે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના ઘોંઘાટ વચ્ચે પણ સમાજના અંતરાત્મા પર ઘા કરે છે. આ કોઈ શારીરિક નબળાઈ નથી પરંતુ અહિંસક નાગરિક જીદની પરાકાષ્ઠા છે. પોટ્ટી શ્રીરામુલુથી લઈને સોનમ વાંગચુક સુધી, આ માધ્યમ સાબિત કરે છે કે જ્યારે સત્તા સંવાદના તમામ રસ્તા બંધ કરી દે છે, ત્યારે આત્મ-પીડા અને નૈતિક બળની સામે મોટી-મોટી હકૂમતોને પણ ઝૂકવું પડે છે.

ડિજિટલ યુગમાં જ્યાં નેરેટિવ (પ્રવાહ) પલભરમાં બદલાય છે, ત્યાં ‘સત્યાગ્રહ’ (ભૂખ હડતાલ) એક એવું નૈતિક શસ્ત્ર છે કે; જેને કોઈ પણ એલ્ગોરિધમ કે પ્રોપેગેન્ડા દબાવી શકતું નથી. આમાં જ્યારે કોઈ વ્યક્તિ વ્યવસ્થાની સામે પોતાના શ્વાસ દાવ પર લગાવે છે, ત્યારે તે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના ઘોંઘાટ વચ્ચે પણ સમાજના અંતરાત્મા પર ઘા કરે છે. આ કોઈ શારીરિક નબળાઈ નથી પરંતુ અહિંસક નાગરિક જીદની પરાકાષ્ઠા છે. પોટ્ટી શ્રીરામુલુથી લઈને સોનમ વાંગચુક સુધી, આ માધ્યમ સાબિત કરે છે કે જ્યારે સત્તા સંવાદના તમામ રસ્તા બંધ કરી દે છે, ત્યારે આત્મ-પીડા અને નૈતિક બળની સામે મોટી-મોટી હકૂમતોને પણ ઝૂકવું પડે છે.

4 / 12
મણિપુરની 'આયર્ન લેડી' કહેવાતા ઇરોમ ચાનુ શર્મિલાએ વર્ષ 2000 માં માલોમમાં થયેલા એક નર સંહાર પછી સશસ્ત્ર દળ (વિશેષ સત્તા) અધિનિયમ એટલે કે AFSPA ને હટાવવાની માંગ સાથે પોતાનું ઐતિહાસિક અનશન શરૂ કર્યું હતું. આ વિશ્વના ઇતિહાસની સૌથી લાંબી ભૂખ હડતાલ માનવામાં આવે છે, જે લગભગ 16 વર્ષ સુધી ચાલી હતી. આ દરમિયાન સરકારે તેમને કસ્ટડીમાં રાખીને નાકની નળી (રાઇસ ટ્યુબ) દ્વારા બળજબરીપૂર્વક લિક્વિડ ડાયેટ આપીને જીવિત રાખ્યા હતા. જો કે, ઓગસ્ટ 2016 માં તેમણે રાજકીય રસ્તેથી પોતાની લડાઈ લડવા માટે અનશન સમાપ્ત કર્યું. આ અનશન સંપૂર્ણપણે 'નકામું' ન ગયું; આણે પૂર્વોત્તરમાં માનવાધિકારના ઉલ્લંઘન અને AFSPA ની વિસંગતતાઓ પર માત્ર રાષ્ટ્રીય જ નહીં પરંતુ વૈશ્વિક મંચો પર એક એવી વ્યાપક ચર્ચા ઊભી કરી કે, જેના દબાણમાં પછીના વર્ષોમાં સરકારને ઘણા વિસ્તારોમાંથી આંશિક રીતે AFSPA હટાવવાના નિર્ણયો લેવા પડ્યા.

મણિપુરની 'આયર્ન લેડી' કહેવાતા ઇરોમ ચાનુ શર્મિલાએ વર્ષ 2000 માં માલોમમાં થયેલા એક નર સંહાર પછી સશસ્ત્ર દળ (વિશેષ સત્તા) અધિનિયમ એટલે કે AFSPA ને હટાવવાની માંગ સાથે પોતાનું ઐતિહાસિક અનશન શરૂ કર્યું હતું. આ વિશ્વના ઇતિહાસની સૌથી લાંબી ભૂખ હડતાલ માનવામાં આવે છે, જે લગભગ 16 વર્ષ સુધી ચાલી હતી. આ દરમિયાન સરકારે તેમને કસ્ટડીમાં રાખીને નાકની નળી (રાઇસ ટ્યુબ) દ્વારા બળજબરીપૂર્વક લિક્વિડ ડાયેટ આપીને જીવિત રાખ્યા હતા. જો કે, ઓગસ્ટ 2016 માં તેમણે રાજકીય રસ્તેથી પોતાની લડાઈ લડવા માટે અનશન સમાપ્ત કર્યું. આ અનશન સંપૂર્ણપણે 'નકામું' ન ગયું; આણે પૂર્વોત્તરમાં માનવાધિકારના ઉલ્લંઘન અને AFSPA ની વિસંગતતાઓ પર માત્ર રાષ્ટ્રીય જ નહીં પરંતુ વૈશ્વિક મંચો પર એક એવી વ્યાપક ચર્ચા ઊભી કરી કે, જેના દબાણમાં પછીના વર્ષોમાં સરકારને ઘણા વિસ્તારોમાંથી આંશિક રીતે AFSPA હટાવવાના નિર્ણયો લેવા પડ્યા.

5 / 12
હરિદ્વારમાં ગંગા નદીના અસ્તિત્વને બચાવવા, તેમાં થઈ રહેલા ગેરકાયદેસર ખનન અને સ્ટોન ક્રશરો સામે માતૃ સદનના સંત સ્વામી નિગમાનંદે 19 ફેબ્રુઆરી 2011 ના રોજ પોતાનું અનશન શરૂ કર્યું હતું. લગભગ 115 દિવસ સુધી અન્ન વિના સંઘર્ષ કર્યા પછી, 13 જૂન 2011 ના રોજ હોસ્પિટલમાં રહસ્યમય સંજોગોમાં તેમનું અવસાન થયું. તેમના આ સર્વોચ્ચ બલિદાને દેશભરના પર્યાવરણવિદો અને સામાન્ય નાગરિકોને હચમચાવી દીધા. જો કે, તાત્કાલિક ધોરણે વહીવટીતંત્રે ગેરકાયદેસર ખનન પર રોક લગાવવાના પોલા વચનો આપ્યા પરંતુ પૂર્ણ રૂપે તેનો અમલ ન થયો. આને સંપૂર્ણપણે નિષ્ફળ ન કહી શકાય કારણ કે, આણે ધાર્મિક અને સામાજિક ચેતનામાં પર્યાવરણ સંરક્ષણના મુદ્દાને મજબૂતીથી સ્થાપિત કર્યો.

હરિદ્વારમાં ગંગા નદીના અસ્તિત્વને બચાવવા, તેમાં થઈ રહેલા ગેરકાયદેસર ખનન અને સ્ટોન ક્રશરો સામે માતૃ સદનના સંત સ્વામી નિગમાનંદે 19 ફેબ્રુઆરી 2011 ના રોજ પોતાનું અનશન શરૂ કર્યું હતું. લગભગ 115 દિવસ સુધી અન્ન વિના સંઘર્ષ કર્યા પછી, 13 જૂન 2011 ના રોજ હોસ્પિટલમાં રહસ્યમય સંજોગોમાં તેમનું અવસાન થયું. તેમના આ સર્વોચ્ચ બલિદાને દેશભરના પર્યાવરણવિદો અને સામાન્ય નાગરિકોને હચમચાવી દીધા. જો કે, તાત્કાલિક ધોરણે વહીવટીતંત્રે ગેરકાયદેસર ખનન પર રોક લગાવવાના પોલા વચનો આપ્યા પરંતુ પૂર્ણ રૂપે તેનો અમલ ન થયો. આને સંપૂર્ણપણે નિષ્ફળ ન કહી શકાય કારણ કે, આણે ધાર્મિક અને સામાજિક ચેતનામાં પર્યાવરણ સંરક્ષણના મુદ્દાને મજબૂતીથી સ્થાપિત કર્યો.

6 / 12
આઈઆઈટી કાનપુરના પૂર્વ પ્રોફેસર અને કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રથમ સભ્ય રહેલા જાણીતા વૈજ્ઞાનિક ડૉ. જી. ડી. અગ્રવાલે ગંગા નદીની અવિરતતા અને નિર્મળતા સુનિશ્ચિત કરવા માટે 'ગંગા સંરક્ષણ અધિનિયમ' લાગુ કરવાની માંગ સાથે 22 જૂન 2018 ના રોજ અનશન શરૂ કર્યું હતું. 111 દિવસના કઠોર ઉપવાસ પછી 11 ઓક્ટોબર 2018 ના રોજ ઋષિકેશમાં તેમનું અવસાન થયું. એક ઉચ્ચ શિક્ષિત વૈજ્ઞાનિક દ્વારા પર્યાવરણ માટે પોતાના પ્રાણોની આહુતિ આપવાની આ ઘટનાએ વિકાસના નામે પ્રકૃતિના વિનાશની નીતિઓ પર એક મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો કર્યો. આ આંદોલને નીતિગત સ્તરે સરકારોને ગંગા પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવા માટે મજબૂર કરી.

આઈઆઈટી કાનપુરના પૂર્વ પ્રોફેસર અને કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રથમ સભ્ય રહેલા જાણીતા વૈજ્ઞાનિક ડૉ. જી. ડી. અગ્રવાલે ગંગા નદીની અવિરતતા અને નિર્મળતા સુનિશ્ચિત કરવા માટે 'ગંગા સંરક્ષણ અધિનિયમ' લાગુ કરવાની માંગ સાથે 22 જૂન 2018 ના રોજ અનશન શરૂ કર્યું હતું. 111 દિવસના કઠોર ઉપવાસ પછી 11 ઓક્ટોબર 2018 ના રોજ ઋષિકેશમાં તેમનું અવસાન થયું. એક ઉચ્ચ શિક્ષિત વૈજ્ઞાનિક દ્વારા પર્યાવરણ માટે પોતાના પ્રાણોની આહુતિ આપવાની આ ઘટનાએ વિકાસના નામે પ્રકૃતિના વિનાશની નીતિઓ પર એક મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો કર્યો. આ આંદોલને નીતિગત સ્તરે સરકારોને ગંગા પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવા માટે મજબૂર કરી.

7 / 12
વર્ષ 1929 માં લાહોર સેન્ટ્રલ જેલની અંદર સ્વાતંત્ર્ય સેનાની જતિન દાસ, ભગત સિંહ અને તેમના સાથીઓએ બ્રિટિશ હકૂમત સામે એક ઐતિહાસિક મોરચો ખોલ્યો. આ અનશન કોઈ વ્યક્તિગત રાજકીય માંગ માટે નહોતું પરંતુ જેલમાં બંધ ભારતીય કેદીઓ સાથે થઈ રહેલા નસ્લીય ભેદભાવ, અમાનવીય વ્યવહાર અને ખરાબ ભોજનના વિરોધમાં હતું. 63 દિવસ સુધી અન્ન-જળ વિના રહ્યા પછી 13 સપ્ટેબર 1929 ના રોજ જતિન દાસે હસતા હસતા પોતાના પ્રાણ ત્યાગી દીધા. તેમના આ બલિદાને સમગ્ર દેશમાં રાષ્ટ્રવાદની એક અભૂતપૂર્વ લહેર પેદા કરી. બ્રિટિશ સરકારને આખરે ભારતીય કેદીઓને રાજકીય કેદીનો દરજ્જો આપવા અને જેલના નિયમોમાં વ્યાપક સુધારા કરવા માટે મજબૂર થવું પડ્યું.

વર્ષ 1929 માં લાહોર સેન્ટ્રલ જેલની અંદર સ્વાતંત્ર્ય સેનાની જતિન દાસ, ભગત સિંહ અને તેમના સાથીઓએ બ્રિટિશ હકૂમત સામે એક ઐતિહાસિક મોરચો ખોલ્યો. આ અનશન કોઈ વ્યક્તિગત રાજકીય માંગ માટે નહોતું પરંતુ જેલમાં બંધ ભારતીય કેદીઓ સાથે થઈ રહેલા નસ્લીય ભેદભાવ, અમાનવીય વ્યવહાર અને ખરાબ ભોજનના વિરોધમાં હતું. 63 દિવસ સુધી અન્ન-જળ વિના રહ્યા પછી 13 સપ્ટેબર 1929 ના રોજ જતિન દાસે હસતા હસતા પોતાના પ્રાણ ત્યાગી દીધા. તેમના આ બલિદાને સમગ્ર દેશમાં રાષ્ટ્રવાદની એક અભૂતપૂર્વ લહેર પેદા કરી. બ્રિટિશ સરકારને આખરે ભારતીય કેદીઓને રાજકીય કેદીનો દરજ્જો આપવા અને જેલના નિયમોમાં વ્યાપક સુધારા કરવા માટે મજબૂર થવું પડ્યું.

8 / 12
સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં રાજ્યોના પુનર્ગઠનની સૌથી મોટી ઘટના પોટ્ટી શ્રીરામુલુના નામ સાથે જોડાયેલી છે. તેમણે મદ્રાસ પ્રેસિડેન્સીથી અલગ તેલુગુ ભાષી લોકો માટે એક અલગ 'આંધ્ર પ્રદેશ' રાજ્યની રચનાની માંગ સાથે વર્ષ 1952 માં આમરણ અનશન શરૂ કર્યું હતું. 58 દિવસની ભૂખ હડતાલ પછી 15 ડિસેમ્બર 1952 ના રોજ તેમનું અવસાન થયું. તેમના અવસાન પછી સમગ્ર વિસ્તારમાં વ્યાપક જન-આક્રોશ ફાટી નીકળ્યો અને હિંસક પ્રદર્શનો થયા. પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુને આખરે ભાષાકીય ધોરણે આંધ્ર પ્રદેશની રચનાની સત્તાવાર જાહેરાત કરવી પડી, જેણે આગળ જતાં વર્ષ 1956 માં રાજ્ય પુનર્ગઠન આયોગની સ્થાપનાનો માર્ગ મોકળો કર્યો.

સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં રાજ્યોના પુનર્ગઠનની સૌથી મોટી ઘટના પોટ્ટી શ્રીરામુલુના નામ સાથે જોડાયેલી છે. તેમણે મદ્રાસ પ્રેસિડેન્સીથી અલગ તેલુગુ ભાષી લોકો માટે એક અલગ 'આંધ્ર પ્રદેશ' રાજ્યની રચનાની માંગ સાથે વર્ષ 1952 માં આમરણ અનશન શરૂ કર્યું હતું. 58 દિવસની ભૂખ હડતાલ પછી 15 ડિસેમ્બર 1952 ના રોજ તેમનું અવસાન થયું. તેમના અવસાન પછી સમગ્ર વિસ્તારમાં વ્યાપક જન-આક્રોશ ફાટી નીકળ્યો અને હિંસક પ્રદર્શનો થયા. પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુને આખરે ભાષાકીય ધોરણે આંધ્ર પ્રદેશની રચનાની સત્તાવાર જાહેરાત કરવી પડી, જેણે આગળ જતાં વર્ષ 1956 માં રાજ્ય પુનર્ગઠન આયોગની સ્થાપનાનો માર્ગ મોકળો કર્યો.

9 / 12
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ પોતાના જીવનકાળમાં 17 વખત ઉપવાસ કર્યા, જેમાં સૌથી પ્રમુખ વર્ષ 1933 માં અસ્પૃશ્યતા નિવારણ અને અછૂતોદ્ધાર આંદોલનના સમર્થનમાં કરવામાં આવેલા 21 દિવસના આત્મશુદ્ધિ ઉપવાસ હતા. ગાંધીજી માટે ભૂખ હડતાલ માત્ર એક રાજકીય દબાણનું સાધન નહોતી પરંતુ આ આત્મ-નિરીક્ષણ, સામાજિક કુરિવાજો સામે અંતરાત્માનો અવાજ અને અહિંસાનું સર્વોચ્ચ સ્વરૂપ હતું. ગાંધીજીના ઉપવાસોએ સમાજમાં ફેલાયેલા જ્ઞાતિ-જાતિના ભેદભાવોને તોડવાનું કામ કર્યું અને આઝાદીની લડાઈ માટે બધા લોકોને એક કર્યા. તેમની આ નૈતિક માંગણીઓને સમાજના લોકોએ અને કોંગ્રેસે પણ સ્વીકારી લીધી હતી.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ પોતાના જીવનકાળમાં 17 વખત ઉપવાસ કર્યા, જેમાં સૌથી પ્રમુખ વર્ષ 1933 માં અસ્પૃશ્યતા નિવારણ અને અછૂતોદ્ધાર આંદોલનના સમર્થનમાં કરવામાં આવેલા 21 દિવસના આત્મશુદ્ધિ ઉપવાસ હતા. ગાંધીજી માટે ભૂખ હડતાલ માત્ર એક રાજકીય દબાણનું સાધન નહોતી પરંતુ આ આત્મ-નિરીક્ષણ, સામાજિક કુરિવાજો સામે અંતરાત્માનો અવાજ અને અહિંસાનું સર્વોચ્ચ સ્વરૂપ હતું. ગાંધીજીના ઉપવાસોએ સમાજમાં ફેલાયેલા જ્ઞાતિ-જાતિના ભેદભાવોને તોડવાનું કામ કર્યું અને આઝાદીની લડાઈ માટે બધા લોકોને એક કર્યા. તેમની આ નૈતિક માંગણીઓને સમાજના લોકોએ અને કોંગ્રેસે પણ સ્વીકારી લીધી હતી.

10 / 12
વર્ષ 2011 માં નવી દિલ્હીના રામલીલા મેદાનમાં એક વડીલ સામાજિક કાર્યકર્તા અન્ના હજારેની જીદે સમગ્ર દેશના યુવાનો અને મધ્યમ વર્ગને રસ્તા પર લાવીને ઊભા રાખી દીધા. તેમણે દેશમાં ફેલાયેલા ભ્રષ્ટાચાર પર અંકુશ લગાવવા માટે એક સશક્ત 'જન લોકપાલ કાયદો' બનાવવાની માંગ સાથે 12 દિવસનું ઐતિહાસિક અનશન કર્યું. આ આંદોલનની તાકાત એટલી વ્યાપક હતી કે, સરકારને સંસદમાં આ માટે વિશેષ પ્રસ્તાવ પસાર કરવો પડ્યો. જો કે, પાછળથી લાગુ થયેલા લોકપાલ કાયદાના સ્વરૂપને લઈને ઘણી આલોચનાઓ થઈ પરંતુ આ અનશને સ્વતંત્ર ભારતમાં નાગરિકોને ભ્રષ્ટાચાર સામે એકજૂથ થવાની એક નવી વૈચારિક શક્તિ આપી.

વર્ષ 2011 માં નવી દિલ્હીના રામલીલા મેદાનમાં એક વડીલ સામાજિક કાર્યકર્તા અન્ના હજારેની જીદે સમગ્ર દેશના યુવાનો અને મધ્યમ વર્ગને રસ્તા પર લાવીને ઊભા રાખી દીધા. તેમણે દેશમાં ફેલાયેલા ભ્રષ્ટાચાર પર અંકુશ લગાવવા માટે એક સશક્ત 'જન લોકપાલ કાયદો' બનાવવાની માંગ સાથે 12 દિવસનું ઐતિહાસિક અનશન કર્યું. આ આંદોલનની તાકાત એટલી વ્યાપક હતી કે, સરકારને સંસદમાં આ માટે વિશેષ પ્રસ્તાવ પસાર કરવો પડ્યો. જો કે, પાછળથી લાગુ થયેલા લોકપાલ કાયદાના સ્વરૂપને લઈને ઘણી આલોચનાઓ થઈ પરંતુ આ અનશને સ્વતંત્ર ભારતમાં નાગરિકોને ભ્રષ્ટાચાર સામે એકજૂથ થવાની એક નવી વૈચારિક શક્તિ આપી.

11 / 12
વર્તમાનમાં લદ્દાખની સંવેદનશીલ ઇકોસિસ્ટમ (Ecosystem), ત્યાંના ગ્લેશિયર્સની સુરક્ષા અને સ્થાનિક વસ્તીને લોકશાહી અધિકારો આપવા માટે બંધારણની 'છઠ્ઠી અનુસૂચિ' (Sixth Schedule) હેઠળ સુરક્ષાની માંગ સાથે સોનમ વાંગચુકનું આંદોલન એક નવો માઈલસ્ટોન સાબિત થયું હતું. જો કે, તાજેતરની ઘટનાઓમાં સોનમ વાંગચુકનું આ આમરણ અનશન/ભૂખ હડતાલ મુખ્યત્વે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં (ખાસ કરીને NEET-UG) થયેલી કથિત ગેરરીતિઓ અને પેપર લીકના કેસોની વિરુદ્ધ છે. તેઓ આ અનિયમિતતાને લઈને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અને યુવાનોને ન્યાય અપાવવાની માંગ કરી રહ્યા છે. આ આંદોલન 'કોકરોચ જનતા પાર્ટી' દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં 28 જૂનથી સોનમ વાંગચુક દિલ્હીના જંતર-મંતર પર જોડાયા હતા. લાંબા સમય સુધી અન્ન-જળનો ત્યાગ કરવાના કારણે તેમનું સ્વાસ્થ્ય ઘણું બગડી ગયું છે. આ અનશનને લઈને દિલ્હી હાઈકોર્ટમાં જનહિત અરજી પણ દાખલ કરવામાં આવી છે, જેથી તેમના સ્વાસ્થ્યની યોગ્ય દેખરેખ અને બચાવ સુનિશ્ચિત થઈ શકે. જો કે, કેન્દ્ર સરકાર સાથે વાતચીતના તબક્કા હજુ ચાલુ છે અને અંતિમ નીતિગત નિર્ણય આવવાનો બાકી છે.

વર્તમાનમાં લદ્દાખની સંવેદનશીલ ઇકોસિસ્ટમ (Ecosystem), ત્યાંના ગ્લેશિયર્સની સુરક્ષા અને સ્થાનિક વસ્તીને લોકશાહી અધિકારો આપવા માટે બંધારણની 'છઠ્ઠી અનુસૂચિ' (Sixth Schedule) હેઠળ સુરક્ષાની માંગ સાથે સોનમ વાંગચુકનું આંદોલન એક નવો માઈલસ્ટોન સાબિત થયું હતું. જો કે, તાજેતરની ઘટનાઓમાં સોનમ વાંગચુકનું આ આમરણ અનશન/ભૂખ હડતાલ મુખ્યત્વે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં (ખાસ કરીને NEET-UG) થયેલી કથિત ગેરરીતિઓ અને પેપર લીકના કેસોની વિરુદ્ધ છે. તેઓ આ અનિયમિતતાને લઈને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અને યુવાનોને ન્યાય અપાવવાની માંગ કરી રહ્યા છે. આ આંદોલન 'કોકરોચ જનતા પાર્ટી' દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં 28 જૂનથી સોનમ વાંગચુક દિલ્હીના જંતર-મંતર પર જોડાયા હતા. લાંબા સમય સુધી અન્ન-જળનો ત્યાગ કરવાના કારણે તેમનું સ્વાસ્થ્ય ઘણું બગડી ગયું છે. આ અનશનને લઈને દિલ્હી હાઈકોર્ટમાં જનહિત અરજી પણ દાખલ કરવામાં આવી છે, જેથી તેમના સ્વાસ્થ્યની યોગ્ય દેખરેખ અને બચાવ સુનિશ્ચિત થઈ શકે. જો કે, કેન્દ્ર સરકાર સાથે વાતચીતના તબક્કા હજુ ચાલુ છે અને અંતિમ નીતિગત નિર્ણય આવવાનો બાકી છે.

12 / 12
જણાવી દઈએ કે, જ્યારે કોઈ મોટું આંદોલન લાંબું ચાલે છે, ત્યારે તેની અસર માત્ર આંદોલનકારી પૂરતી મર્યાદિત નથી રહેતી. સરકાર પર નીતિગત દબાણ બને છે. મીડિયાનું ધ્યાન મહત્વપૂર્ણ મુદ્દાઓ તરફ જાય છે. અદાલતોમાં જનહિત અરજીઓ વધી શકે છે. સંસદ અને વિધાનસભાઓમાં ચર્ચા થાય છે. આ સાથે જ સમાજમાં જાગૃતિ વધે છે. ભારતીય બંધારણ શાંતિપૂર્ણ વિરોધનો અધિકાર આપે છે પરંતુ આ અધિકાર પૂર્ણ નથી. જો કોઈ આંદોલનથી જાહેર વ્યવસ્થા, સુરક્ષા અથવા કાયદો અને વ્યવસ્થા પ્રભાવિત થાય છે, તો વહીવટીતંત્ર હસ્તક્ષેપ કરી શકે છે. ઘણા કિસ્સાઓમાં સ્વાસ્થ્ય બગડવા પર વહીવટીતંત્ર તબીબી હસ્તક્ષેપ પણ કરે છે.

જણાવી દઈએ કે, જ્યારે કોઈ મોટું આંદોલન લાંબું ચાલે છે, ત્યારે તેની અસર માત્ર આંદોલનકારી પૂરતી મર્યાદિત નથી રહેતી. સરકાર પર નીતિગત દબાણ બને છે. મીડિયાનું ધ્યાન મહત્વપૂર્ણ મુદ્દાઓ તરફ જાય છે. અદાલતોમાં જનહિત અરજીઓ વધી શકે છે. સંસદ અને વિધાનસભાઓમાં ચર્ચા થાય છે. આ સાથે જ સમાજમાં જાગૃતિ વધે છે. ભારતીય બંધારણ શાંતિપૂર્ણ વિરોધનો અધિકાર આપે છે પરંતુ આ અધિકાર પૂર્ણ નથી. જો કોઈ આંદોલનથી જાહેર વ્યવસ્થા, સુરક્ષા અથવા કાયદો અને વ્યવસ્થા પ્રભાવિત થાય છે, તો વહીવટીતંત્ર હસ્તક્ષેપ કરી શકે છે. ઘણા કિસ્સાઓમાં સ્વાસ્થ્ય બગડવા પર વહીવટીતંત્ર તબીબી હસ્તક્ષેપ પણ કરે છે.

Follow Us