Home Remedies : શું જમ્યા પછી પેટમાં બને છે ગેસ? અપનાવો આ ઘરેલું ઉપાય

|

Jul 10, 2024 | 9:20 AM

acidity Home Remedies : સ્વસ્થ રહેવા માટે યોગ્ય રીતે સંતુલિત આહાર લેવો જરૂરી છે. આવી સ્થિતિમાં તમારી થાળીમાં પોષક તત્વોથી ભરપૂર વસ્તુઓનો સમાવેશ કરો. પરંતુ ઘણી વખત પૌષ્ટિક ખોરાક ખાવા છતાં લોકોને પેટમાં દુખાવો અને બ્લોટિંગ જેવી સમસ્યા થવા લાગે છે. તેની પાછળ આપણી લાઈફસ્ટાઈલની કેટલીક ભૂલો છે.

1 / 5
પેટમાં દુખાવો, બળતરા, એસિડિટી તમને પરેશાન કરી શકે છે. આવી સ્થિતિમાં અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવી રહ્યા છીએ જેની મદદથી તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. ચાલો જાણીએ કેટલાક ઘરેલું ઉપાયો વિશે જેની મદદથી તમે અપચો, પેટમાં દુખાવો, બ્લોટિંગ જેવી સમસ્યાઓથી ઘરે જ છુટકારો મેળવી શકો છો.

પેટમાં દુખાવો, બળતરા, એસિડિટી તમને પરેશાન કરી શકે છે. આવી સ્થિતિમાં અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવી રહ્યા છીએ જેની મદદથી તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. ચાલો જાણીએ કેટલાક ઘરેલું ઉપાયો વિશે જેની મદદથી તમે અપચો, પેટમાં દુખાવો, બ્લોટિંગ જેવી સમસ્યાઓથી ઘરે જ છુટકારો મેળવી શકો છો.

2 / 5
જીરુંનું પાણી પીવો : ગેસ અને એસિડિટીની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે જીરાનો ઉપયોગ કરી શકો છો. તે તમારા પાચનને સુધારવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ કરીને તમે વજન પણ ઘટાડી શકો છો. તેને બનાવવા માટે સૌથી પહેલા એક ગ્લાસ પાણીને સારી રીતે ઉકાળો, જ્યારે તે ઉકળે ત્યારે તેમાં એક ચમચી જીરું ઉમેરો. પછી આ પાણીને સારી રીતે ઉકાળો. જ્યારે પાણીનો રંગ બદલાય ત્યારે તેને ગાળીને તેમાં સંચળ પાઉડર નાખો.

જીરુંનું પાણી પીવો : ગેસ અને એસિડિટીની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે જીરાનો ઉપયોગ કરી શકો છો. તે તમારા પાચનને સુધારવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ કરીને તમે વજન પણ ઘટાડી શકો છો. તેને બનાવવા માટે સૌથી પહેલા એક ગ્લાસ પાણીને સારી રીતે ઉકાળો, જ્યારે તે ઉકળે ત્યારે તેમાં એક ચમચી જીરું ઉમેરો. પછી આ પાણીને સારી રીતે ઉકાળો. જ્યારે પાણીનો રંગ બદલાય ત્યારે તેને ગાળીને તેમાં સંચળ પાઉડર નાખો.

3 / 5
ફુદીનાનું પાણી પીવો : બ્લોટિંગ કે દુખાવાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે 4-5 ફુદીનાના પાનનો ભૂકો કરી તેને પાણીમાં મિક્સ કરીને પીવો. આનાથી તમને પેટના દુખાવામાં આરામ તો મળશે જ સાથે સાથે તમને તાજગીનો અનુભવ થશે.

ફુદીનાનું પાણી પીવો : બ્લોટિંગ કે દુખાવાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે 4-5 ફુદીનાના પાનનો ભૂકો કરી તેને પાણીમાં મિક્સ કરીને પીવો. આનાથી તમને પેટના દુખાવામાં આરામ તો મળશે જ સાથે સાથે તમને તાજગીનો અનુભવ થશે.

4 / 5
વરિયાળીનું પાણી પીવો : પેટની બળતરા ઓછી કરવા માટે તમે વરિયાળીનું પાણી પી શકો છો. તે તમારા પાચનને સ્વસ્થ રાખે છે અને ઠંડક પણ આપે છે. પીરિયડ્સના દુખાવાથી છુટકારો મેળવવા માટે તમે વરિયાળીના પાણીનો પણ ઉપયોગ કરી શકો છો.

વરિયાળીનું પાણી પીવો : પેટની બળતરા ઓછી કરવા માટે તમે વરિયાળીનું પાણી પી શકો છો. તે તમારા પાચનને સ્વસ્થ રાખે છે અને ઠંડક પણ આપે છે. પીરિયડ્સના દુખાવાથી છુટકારો મેળવવા માટે તમે વરિયાળીના પાણીનો પણ ઉપયોગ કરી શકો છો.

5 / 5
અજમાનું પાણી : પેટના દુખાવાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે અજમાના પાણીનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે તમે અજમાને પાણીમાં ઉકાળીને પી શકો છો. જો તમે ઈચ્છો તો તેમાં સંચળ પાઉૃડર પણ ઉમેરી શકો છો.

અજમાનું પાણી : પેટના દુખાવાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે અજમાના પાણીનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે તમે અજમાને પાણીમાં ઉકાળીને પી શકો છો. જો તમે ઈચ્છો તો તેમાં સંચળ પાઉૃડર પણ ઉમેરી શકો છો.

Next Photo Gallery