Stock Market: શેરબજારમાં ઐતિહાસિક તેજીના સંકેત… વર્ષ 2026 સુધીમાં સેન્સેક્સ 1,00,000 ને પાર કરશે, આ એક અનુમાનથી રોકાણકારોમાં ઉત્સાહ

ગ્લોબલ બ્રોકરેજ ફર્મે ભારતીય શેરબજારને લઈને એક મોટી આગાહી કરી છે. બ્રોકરેજ ફર્મે જણાવ્યું છે કે, ભારતીય શેરબજાર આગામી કેટલાક વર્ષોમાં નવી ઊંચાઈ પર પહોંચી શકે છે.

| Updated on: Feb 06, 2026 | 8:24 PM
1 / 7
ગ્લોબલ બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલીએ ભારતીય શેરબજારને લઈને એક મોટું અનુમાન જાહેર કર્યું છે. બ્રોકરેજ ફર્મે તેના નવા અહેવાલમાં જણાવ્યું છે કે, ભારતીય શેરબજાર આગામી કેટલાક વર્ષોમાં નવી ઊંચાઈ પર પહોંચી શકે છે. ફર્મે વધુમાં ઉમેર્યું કે, BSE સેન્સેક્સ ડિસેમ્બર 2026 સુધીમાં 1,07,000 ના સ્તર સુધી પહોંચી શકે છે.

ગ્લોબલ બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલીએ ભારતીય શેરબજારને લઈને એક મોટું અનુમાન જાહેર કર્યું છે. બ્રોકરેજ ફર્મે તેના નવા અહેવાલમાં જણાવ્યું છે કે, ભારતીય શેરબજાર આગામી કેટલાક વર્ષોમાં નવી ઊંચાઈ પર પહોંચી શકે છે. ફર્મે વધુમાં ઉમેર્યું કે, BSE સેન્સેક્સ ડિસેમ્બર 2026 સુધીમાં 1,07,000 ના સ્તર સુધી પહોંચી શકે છે.

2 / 7
મોર્ગન સ્ટેનલીના જણાવ્યા અનુસાર, ભારતીય શેરબજાર હવે ઝડપથી મજબૂત થવા જઈ રહ્યું છે. કોવિડ પછી જે મોંઘવારી અને કડક નીતિઓ હતી, તે હવે હળવી થઈ રહી છે અને બજારને 'રી-રેટિંગ' એટલે કે નવું મૂલ્ય મેળવવાની તક મળી રહી છે.

મોર્ગન સ્ટેનલીના જણાવ્યા અનુસાર, ભારતીય શેરબજાર હવે ઝડપથી મજબૂત થવા જઈ રહ્યું છે. કોવિડ પછી જે મોંઘવારી અને કડક નીતિઓ હતી, તે હવે હળવી થઈ રહી છે અને બજારને 'રી-રેટિંગ' એટલે કે નવું મૂલ્ય મેળવવાની તક મળી રહી છે.

3 / 7
મોર્ગન સ્ટેનલીના ઇક્વિટી સ્ટ્રેટેજિસ્ટ રિધમ દેસાઈ અને નયંત પારેખે જણાવ્યું હતું કે, RBI અને સરકાર મળીને વ્યાજ દરોમાં કાપ (Rate cut), બેંકના નિયમો હળવા કરવા, બજારમાં લિક્વિડિટી વધારવી, ટેક્સમાં ઘટાડો અને કેપિટલ ખર્ચમાં વધારો કરવા જેવા પગલાં લઈ રહી છે, જેનાથી અર્થતંત્રની ગતિ વધશે. આ ઉપરાંત, ચીન સાથેના સંબંધોમાં સુધારો અને નવા વ્યાપારિક કરારો પણ બજારને સપોર્ટ કરી રહ્યા છે.

મોર્ગન સ્ટેનલીના ઇક્વિટી સ્ટ્રેટેજિસ્ટ રિધમ દેસાઈ અને નયંત પારેખે જણાવ્યું હતું કે, RBI અને સરકાર મળીને વ્યાજ દરોમાં કાપ (Rate cut), બેંકના નિયમો હળવા કરવા, બજારમાં લિક્વિડિટી વધારવી, ટેક્સમાં ઘટાડો અને કેપિટલ ખર્ચમાં વધારો કરવા જેવા પગલાં લઈ રહી છે, જેનાથી અર્થતંત્રની ગતિ વધશે. આ ઉપરાંત, ચીન સાથેના સંબંધોમાં સુધારો અને નવા વ્યાપારિક કરારો પણ બજારને સપોર્ટ કરી રહ્યા છે.

4 / 7
1. ગ્રોથ સિગ્નલ: મોર્ગન સ્ટેનલીનું માનવું છે કે, ભારતીય કંપનીઓની કમાણીમાં વધારો થવાની અપેક્ષા છે. આનો અર્થ એ છે કે, કંપનીઓના નફામાં સુધારાની પ્રબળ શક્યતા છે.

1. ગ્રોથ સિગ્નલ: મોર્ગન સ્ટેનલીનું માનવું છે કે, ભારતીય કંપનીઓની કમાણીમાં વધારો થવાની અપેક્ષા છે. આનો અર્થ એ છે કે, કંપનીઓના નફામાં સુધારાની પ્રબળ શક્યતા છે.

5 / 7
2. RBI પોલિસી: વિશ્લેષકોનું કહેવું છે કે, RBIની નીતિઓ બેંકિંગ સિસ્ટમમાં લિક્વિડિટી (નાણાકીય પ્રવાહ) અને લોન ગ્રોથને ટેકો આપશે. નોંધનીય છે કે, RBIએ તાજેતરમાં 6 ફેબ્રુઆરીએ રેપો રેટ યથાવત રાખ્યો છે, જ્યારે ગયા વર્ષે ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં કુલ 1.25% નો ઘટાડો કરવામાં આવ્યો છે.

2. RBI પોલિસી: વિશ્લેષકોનું કહેવું છે કે, RBIની નીતિઓ બેંકિંગ સિસ્ટમમાં લિક્વિડિટી (નાણાકીય પ્રવાહ) અને લોન ગ્રોથને ટેકો આપશે. નોંધનીય છે કે, RBIએ તાજેતરમાં 6 ફેબ્રુઆરીએ રેપો રેટ યથાવત રાખ્યો છે, જ્યારે ગયા વર્ષે ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં કુલ 1.25% નો ઘટાડો કરવામાં આવ્યો છે.

6 / 7
3. પોલિસી રિફોર્મ (નીતિગત સુધારા): મોર્ગન સ્ટેનલીના જણાવ્યા અનુસાર, ખાનગીકરણ (Privatization) સહિતની બીજી પહેલો લાગુ કરવામાં આવી રહી છે, જે આર્થિક વિકાસને વેગ આપશે.

3. પોલિસી રિફોર્મ (નીતિગત સુધારા): મોર્ગન સ્ટેનલીના જણાવ્યા અનુસાર, ખાનગીકરણ (Privatization) સહિતની બીજી પહેલો લાગુ કરવામાં આવી રહી છે, જે આર્થિક વિકાસને વેગ આપશે.

7 / 7
4. ફોરેન બાયિંગ (વિદેશી ખરીદી): ઘણા મહિનાઓ સુધી વિદેશી રોકાણકારો (FPI) દ્વારા કરવામાં આવેલી વેચવાલી બાદ હવે સ્થિતિ નીચલા સ્તરે છે પરંતુ ગ્રોથને પ્રોત્સાહન આપવા માટે વિદેશી રોકાણમાં ફરીથી વધારો થવો જરૂરી છે.

4. ફોરેન બાયિંગ (વિદેશી ખરીદી): ઘણા મહિનાઓ સુધી વિદેશી રોકાણકારો (FPI) દ્વારા કરવામાં આવેલી વેચવાલી બાદ હવે સ્થિતિ નીચલા સ્તરે છે પરંતુ ગ્રોથને પ્રોત્સાહન આપવા માટે વિદેશી રોકાણમાં ફરીથી વધારો થવો જરૂરી છે.