
જો તમારે વજન ઓછું કરવું છે તો પણ શેરડીનો રસ તમારા માટે ફાયદાકારક છે. તેમાં નેચરલ શુગર હોય છે. જે રેગ્યુલર શુગરના મુકાબલે તમારું વજન વધવા દેશે નહિ. શેરડીમાં ફાઈબરની માત્રા પણ વધારે હોય છે. તેનાથી તમને લાંબા સમય સુધી ભૂખ લાગશે નહિ.

શેરડીનો રસ કે પછી તમે શેરડીનું પણ સેવન કરી શકો છો. શેરડીનો રસ તમારી નબળી ઈમ્યુનિટીને પણ સ્ટ્રોંગ બનાવે છે. તેમાં રહેલ એન્ટીઓક્સીડેન્ટસ તમારા શરીરના રોગોને લડવામાં મદદ કરી શકે છે. તેનાથી તમારું સ્વાસ્થ સારું રહે છે.

શેરડી ચાવીને ખાવાથી સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે. શેરડીના રસથી તમારા શરીરને ડિટોક્સ કરવું સરળ છે. શેરડી મોંઢામાંથી આવતી દુર્ગંધને પણ દુર કરે છે, દાંત પણ સાફ થઈ જાય છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કે, અમલમાં મુકતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે.