
આજના સમયમાં વજન વધવું એક મોટી સમસ્યા બની ગઈ છે. લગભગ દરેક વ્યક્તિ વજન ઘટાડવા ઈચ્છે છે, પરંતુ ઘણા લોકો એવી ફરિયાદ કરે છે કે ગમે તે પ્રયાસ કરે, તેમ છતાં તેમનું વજન ઓછું થતું નથી.

હકીકતમાં, વજન ઘટાડતી વખતે ઘણીવાર કેટલીક સામાન્ય ભૂલો થતી હોય છે. આ ભૂલોના કારણે વજન ઘટવાને બદલે વધવા લાગે છે. અનેક લોકોને એ પણ ખબર નથી હોતી કે તેમને દરરોજ કેટલીઘણી કેલરી લેવી જોઈએ.

વિશેષ કરીને 50 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓએ દરરોજ અંદાજે 1,800 કેલરી લેવી જોઈએ. જો વજન વધતું અટકાવવું હોય, તો તમારી દૈનિક કેલરીનું સેવન નિયંત્રિત કરવું જરૂરી છે.

વજન ઘટાડવા માટે ઓછી કેલરીવાળો ખોરાક લેવો સૌથી અસરકારક ઉપાય માનવામાં આવે છે. વધુ કેલરીવાળો ખોરાક લેવાથી સમસ્યા વધુ ગંભીર બની શકે છે, તેથી આવા ખોરાકથી દૂર રહેવું મહત્વપૂર્ણ છે.

ઓછી કેલરીવાળો ખોરાક ખાવાથી વજન વધવાની શક્યતા ઘણી ઓછી રહે છે. તેથી, સ્વસ્થ વજન જાળવી રાખવા અને વજન ઘટાડવા માટે શક્ય તેટલું ઓછી કેલરી લેવાનો પ્રયાસ કરો અને સંતુલિત આહાર અપનાવો.
Published On - 4:53 pm, Fri, 20 February 26