
ખજૂર ગર્ભવતી મહિલાઓ માટે ખુબ ફાયદાકારક છે. ગર્ભવતી મહિલાઓને થનારી અનેક પ્રકારની સમસ્યાઓથી છુટકારો મળે છે.જો તમે તમારા વજનથી પરેશાન છો. તો ખજૂરનું સેવન કરો કારણ કે, તેમાં રહેલા તત્વો વજન વધારવામાં મદદ કરે છે.

ખજૂરને રાત્રે પાણીમાં પલાળી સવારે ખાલી પેટે સેવન કરવું જોઈએ. ખાલી પેટે પલાળેલા ખજૂર ખાવાથી તમે આખો દિવસ સ્ફુર્તિ મળશે. એક દિવસમાં તમે 3 થી 4 ખજૂર ખાય શકો છો.

ખજૂરનું સેવન કરવાનો શ્રેષ્ઠ સમય સવારે ખાલી પેટ છે. જો તમારે વજન વધારવું હોય તો રાત્રે સૂતા પહેલા ઘી સાથે તેનું સેવન કરો.ખજૂર આયર્ન જેવા અન્ય ઘણા પોષક તત્વોથી ભરપૂર છે. તેમાં ફાઈબર, કેલ્શિયમ, પોટેશિયમ પણ જોવા મળે છે.