
આમ તો ગોળ ખાવાથી પાચન શક્તિમાટે ફાયદાકારક છે. એન્ટીઓક્સીડેન્ટસ અને મિનરલ્સથી પણ ગોળ ભરપુર હોય છે. તેનાથી ઈમ્યુનિટી પણ મજબુત બને છે. ગોળમાં આયરન હોય છે. જે હીમોગ્લોબીનને વધારે છે.

દરરોજ ગોળના એક ટુકડાનું સેવન કરવું જોઈએ. એટલે કે, દરેક વ્યક્તિએ અંદાજે રોજ 20 ગ્રામ ગોળનું સેવન કરવું જોઈએ. જે લોકોને બ્લડ શુગર એટલે કે, ડાયાબિટીસ છે. તેમણે માત્ર 5 ગ્રામ ગોળનું સેવન કરવું જોઈએ.

ગોળ ભલે નેચરલ સ્વીટનર છે પરંતુ તેમાં કેલરી અને શુગર વધુ માત્રામાં હોય છે. એટલે વધુ શુગર તમારી હેલ્થ બગાડી શકે છે. જો તમે દરરોજ 10 થી 15 ગ્રામ ગોળ ખાવ છો તો, દિવસભર શુગરનો અન્ય કોઈ સોર્સ હોવો જોઈએ નહિ.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કે, અમલમાં મુકતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે.