ભીષણ ગરમીમાં અમૃત સમાન છે ‘શેરડીનો રસ’, કેમ ઉનાળામાં આ પીણું સૌથી વધુ પીવું જોઈએ?

ઉનાળાએ દસ્તક આપી દીધી છે. હવે લોકોને તડકામાં ગરમી પણ અનુભવાવા લાગી છે. એવામાં મોટાભાગના લોકો શેરડીના રસનું સેવન કરતાં હોય છે.

| Updated on: Feb 27, 2026 | 7:57 PM
1 / 7
ગરમી શરૂ થતાની સાથે જ લોકોને ઘણા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ ઋતુમાં સૌથી વધુ 'લૂ' લાગવાનો ખતરો રહે છે. આવી સ્થિતિમાં લોકોએ પોતાના ખાન-પાનનું ખાસ ધ્યાન રાખવાની જરૂર હોય છે.

ગરમી શરૂ થતાની સાથે જ લોકોને ઘણા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ ઋતુમાં સૌથી વધુ 'લૂ' લાગવાનો ખતરો રહે છે. આવી સ્થિતિમાં લોકોએ પોતાના ખાન-પાનનું ખાસ ધ્યાન રાખવાની જરૂર હોય છે.

2 / 7
ઉનાળાની ઋતુમાં લોકોને તરસ ખૂબ લાગે છે, જેને છીપાવવા માટે લોકો પાણી સિવાય જ્યુસનું સેવન પણ કરે છે. ઉનાળામાં શેરડીના રસનું સેવન સૌથી વધુ કરવામાં આવે છે. આના સેવનથી સ્વાસ્થ્યને ઘણા પ્રકારના ફાયદા મળે છે. એવામાં ચાલો જાણીએ કે, ઉનાળામાં શેરડીનો રસ પીવાથી શું શું ફાયદા થાય છે.

ઉનાળાની ઋતુમાં લોકોને તરસ ખૂબ લાગે છે, જેને છીપાવવા માટે લોકો પાણી સિવાય જ્યુસનું સેવન પણ કરે છે. ઉનાળામાં શેરડીના રસનું સેવન સૌથી વધુ કરવામાં આવે છે. આના સેવનથી સ્વાસ્થ્યને ઘણા પ્રકારના ફાયદા મળે છે. એવામાં ચાલો જાણીએ કે, ઉનાળામાં શેરડીનો રસ પીવાથી શું શું ફાયદા થાય છે.

3 / 7
ઇન્સ્ટન્ટ એનર્જી બૂસ્ટર: શેરડીના રસમાં નેચરલ શર્કરા (નેચરલ સુગર) ભરપૂર માત્રામાં હોય છે. એવામાં જ્યારે તમે કાળઝાળ ગરમીમાં થાકીને આવો છો, ત્યારે આ તમારા શરીરમાં ગ્લુકોઝનું લેવલ તરત જ વધારીને તમને ત્વરિત ઊર્જા આપે છે અને થાક દૂર કરે છે.

ઇન્સ્ટન્ટ એનર્જી બૂસ્ટર: શેરડીના રસમાં નેચરલ શર્કરા (નેચરલ સુગર) ભરપૂર માત્રામાં હોય છે. એવામાં જ્યારે તમે કાળઝાળ ગરમીમાં થાકીને આવો છો, ત્યારે આ તમારા શરીરમાં ગ્લુકોઝનું લેવલ તરત જ વધારીને તમને ત્વરિત ઊર્જા આપે છે અને થાક દૂર કરે છે.

4 / 7
ડિહાઈડ્રેશનથી બચાવ: ઉનાળામાં પરસેવા દ્વારા શરીરમાંથી જરૂરી મિનરલ્સ બહાર નીકળી જાય છે. શેરડીના રસમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને આયર્ન જેવા ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે, જે શરીરમાં પાણીની અછતને પૂરી કરે છે તેમજ તમને હાઇડ્રેટેડ રાખે છે.

ડિહાઈડ્રેશનથી બચાવ: ઉનાળામાં પરસેવા દ્વારા શરીરમાંથી જરૂરી મિનરલ્સ બહાર નીકળી જાય છે. શેરડીના રસમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને આયર્ન જેવા ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે, જે શરીરમાં પાણીની અછતને પૂરી કરે છે તેમજ તમને હાઇડ્રેટેડ રાખે છે.

5 / 7
પાચનમાં મદદરૂપ: શેરડીનો રસ એક ઉત્તમ પાચન ટોનિક તરીકે કામ કરે છે. આમાં રહેલ પોટેશિયમ પેટના pH લેવલને સંતુલિત રાખે છે અને પાચક રસોના સ્ત્રાવમાં મદદ કરે છે, જેનાથી કબજિયાત જેવી સમસ્યાઓમાં રાહત મળે છે.

પાચનમાં મદદરૂપ: શેરડીનો રસ એક ઉત્તમ પાચન ટોનિક તરીકે કામ કરે છે. આમાં રહેલ પોટેશિયમ પેટના pH લેવલને સંતુલિત રાખે છે અને પાચક રસોના સ્ત્રાવમાં મદદ કરે છે, જેનાથી કબજિયાત જેવી સમસ્યાઓમાં રાહત મળે છે.

6 / 7
લિવર માટે: આયુર્વેદ મુજબ, લિવરને મજબૂત બનાવવા માટે શેરડીનો રસ સૌથી ઉત્તમ ઉપચારોમાંનો એક છે. તે કમળા (પીળિયા) દરમિયાન શરીરમાં ઘટી ગયેલા પ્રોટીન અને પોષક તત્વોની ઊણપ પૂરી કરે છે તેમજ લિવરની કાર્યક્ષમતા વધારે છે.

લિવર માટે: આયુર્વેદ મુજબ, લિવરને મજબૂત બનાવવા માટે શેરડીનો રસ સૌથી ઉત્તમ ઉપચારોમાંનો એક છે. તે કમળા (પીળિયા) દરમિયાન શરીરમાં ઘટી ગયેલા પ્રોટીન અને પોષક તત્વોની ઊણપ પૂરી કરે છે તેમજ લિવરની કાર્યક્ષમતા વધારે છે.

7 / 7
ત્વચામાં ચમક: શેરડીના રસમાં આલ્ફા હાઇડ્રોક્સી એસિડ હોય છે, જે ખીલ ઘટાડવામાં અને ત્વચાને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે. આને પીવાથી માત્ર શરીર અંદરથી સાફ નથી થતું પણ ચહેરા પર નેચરલ ગ્લો પણ આવે છે.

ત્વચામાં ચમક: શેરડીના રસમાં આલ્ફા હાઇડ્રોક્સી એસિડ હોય છે, જે ખીલ ઘટાડવામાં અને ત્વચાને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે. આને પીવાથી માત્ર શરીર અંદરથી સાફ નથી થતું પણ ચહેરા પર નેચરલ ગ્લો પણ આવે છે.