
કારેલા જે ડાયાબિટીસના દર્દીઓ માટે દવાનું કામ કરે છે. જેમાં મિરલ્સ અને ફાઈબર ભરપુર પ્રમાણમાં હોય છે. જે બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. કારેલાનું સેવન કરવાથી બ્લડશુગર કંટ્રોલમાં રહે છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે દુધીનું સેવન ફાયદાકારક છે. દુધીમાં ફાઈબર અને પાણી ભરપુર માત્રામાં હોય છે.જે સ્વાસ્થ માટે ફાયદાકારક માનવામાં આવે છે.

ટામેટાં ફાયટોન્યુટ્રિઅન્ટ લાઇકોપીનથી સમૃદ્ધ છે, જે એક શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ છે જે ઓક્સિડેટીવ તણાવ ઘટાડે છે અને ટાઈપ 2 ડાયાબિટીસવાળા દર્દીઓમાં ગ્લુકોઝ નિયંત્રણમાં સુધારો કરી શકે છે. જો તમે તમારું બ્લડ શુગર લેવલ ઓછું કરવા માંગો છો તો શિયાળામાં ઉપલબ્ધ આ ફાયદાકારક શાકભાજીનું સેવન ચોક્કસ કરો.

બ્રોકલીનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. તેમાં જોવા મળતું ક્રોમિયમ ઇન્સ્યુલિનને મુક્ત કરવામાં મદદ કરે છે. આ સિવાય બ્રોકોલીમાં ફાઈબર પણ જોવા મળે છે જે પાચનને સુધારે છે જે બ્લડ શુગરને પણ કંટ્રોલ કરી શકે છે.