
ચોમાસાની ઋતુમાં રાજમાં અને અડદની દાળ સિવાય ચણાનું સેવન પણ ટાળવું જોઈએ. ચણાની દાળનું સેવન કરવાથી અપચો અને પેટમાં સોજાની સમસ્યા વધારી શકે છે.

જ્યારે પણ કઠોળનું સેવન કરો છો ત્યારે તેને ઉકાળતા વખતે જે સફેદ ફીણ આવે છે તેને દૂર કરો. આ ફીણ અપચો અને ગેસનું કારણ બની શકે છે.

આ ઉપરાંત દાળમાં હળદર, હિંગ, જીરું અને આદુ જેવા મસાલા ઉમેરો, જેનાથી તે પચવામાં સરળતા રહે છે.(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)