
ચોમાસાની સિઝનમાં ક્યો ખોરાક ખાવો જોઈએ અને ક્યો ખોરાક ન ખાવો જોઈએ તેનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. ઘણા લોકો ફરિયાદ કરે છે કે કઠોળ ખાધા પછી તેમને ઘણીવાર પેટમાં ગેસની સમસ્યાનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં, ખાસ કરીને ચોમાસા દરમિયાન, ક્યાં કઠોળનું સેવન ન કરવું જોઈએ તે જાણીશું.

મોટાભાગના લોકોને રાજમાનો સ્વાદ ગમે છે, પણ તે પચવામાં ભારે હોય છે. વરસાદની ઋતુમાં રાજમાનું સેવન કરવાથી પેટમાં ગેસ અને ભારેપણું થઈ શકે છે. તેથી રાજમા ખાવાનું ટાળવું જોઈએ.

આ બધા સિવાય અડદની દાળ પચવામાં સૌથી ભારે માનવામાં આવે છે. વરસાદની ઋતુમાં આ દાળને પચાવવામાં ખૂબ મુશ્કેલી પડી શકે છે. આનાથી ગેસ, અપચો અને પેટમાં દુખાવાની ફરિયાદો થઈ શકે છે.

ચોમાસાની ઋતુમાં રાજમાં અને અડદની દાળ સિવાય ચણાનું સેવન પણ ટાળવું જોઈએ. ચણાની દાળનું સેવન કરવાથી અપચો અને પેટમાં સોજાની સમસ્યા વધારી શકે છે.

જ્યારે પણ કઠોળનું સેવન કરો છો ત્યારે તેને ઉકાળતા વખતે જે સફેદ ફીણ આવે છે તેને દૂર કરો. આ ફીણ અપચો અને ગેસનું કારણ બની શકે છે.

આ ઉપરાંત દાળમાં હળદર, હિંગ, જીરું અને આદુ જેવા મસાલા ઉમેરો, જેનાથી તે પચવામાં સરળતા રહે છે.(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)