પીળિયાને ભૂલથી પણ ન કરતા ‘નજરઅંદાજ’! શરીર આપવા લાગે છે આ ‘5 ખતરનાક ઈશારા’, તરત જ ચેતી જજો

આજના ભાગદોડભર્યા જીવનમાં અને ખરાબ લાઇફસ્ટાઇલના કારણે પીળિયો એટલે કે કમળો થવાનું જોખમ ખૂબ જ વધી ગયું છે. મોટાભાગના લોકો આંખો પીળી થવાને જ કમળાનું મુખ્ય લક્ષણ માનતા હોય છે પરંતુ શું તમે જાણો છો કે, કમળો ગંભીર રૂપ ધારણ કરે તે પહેલાં આપણું શરીર ઘણા શરૂઆતી સંકેતો આપે છે?

| Updated on: Sep 01, 2026 | 2:37 PM
1 / 6
પીળિયો (કમળો) આજના સમયમાં ખૂબ મોટી સમસ્યા બની રહ્યો છે. કેટલાક લોકો એવા હોય છે કે, જે એના લક્ષણોને નજરઅંદાજ કરી દે છે. લોકો અવારનવાર આને માત્ર આંખો પીળી થવા સાથે જોડીને જોતા હોય છે પરંતુ ઘણી વાર આ ખૂબ જ અલગ હોઈ શકે છે.  (Getty Image)

પીળિયો (કમળો) આજના સમયમાં ખૂબ મોટી સમસ્યા બની રહ્યો છે. કેટલાક લોકો એવા હોય છે કે, જે એના લક્ષણોને નજરઅંદાજ કરી દે છે. લોકો અવારનવાર આને માત્ર આંખો પીળી થવા સાથે જોડીને જોતા હોય છે પરંતુ ઘણી વાર આ ખૂબ જ અલગ હોઈ શકે છે. (Getty Image)

2 / 6
શરીર પહેલાથી જ ઘણા પ્રારંભિક સંકેતો આપવાનું શરૂ કરી દે છે, જેને જો તમે નજરઅંદાજ કરશો તો નુકસાન વેઠવું પડી શકે છે. જો આ લક્ષણોને સમયસર ઓળખી લેવામાં આવે તો ગંભીર સ્થિતિમાંથી પણ બચી શકાય છે.

શરીર પહેલાથી જ ઘણા પ્રારંભિક સંકેતો આપવાનું શરૂ કરી દે છે, જેને જો તમે નજરઅંદાજ કરશો તો નુકસાન વેઠવું પડી શકે છે. જો આ લક્ષણોને સમયસર ઓળખી લેવામાં આવે તો ગંભીર સ્થિતિમાંથી પણ બચી શકાય છે.

3 / 6
શરીરમાં પીળિયો થવાનો સૌથી પહેલો સંકેત એ હોય છે કે, પેશાબનો રંગ ઘાટો પીળો થવો. આ એક ખાસ લક્ષણ છે, જેને લોકો ઘણી વાર નજરઅંદાજ કરી દે છે. જો તમને આજકાલ ભૂખ ખૂબ જ ઓછી લાગી રહી હોય અને ઊબકા (જીવ ગભરાવો) જેવી તકલીફ થઈ રહી હોય, તો તમને પીળિયો હોઈ શકે છે. તેથી, તમારે ડૉક્ટર પાસે તપાસ જરૂર કરાવવી જોઈએ.

શરીરમાં પીળિયો થવાનો સૌથી પહેલો સંકેત એ હોય છે કે, પેશાબનો રંગ ઘાટો પીળો થવો. આ એક ખાસ લક્ષણ છે, જેને લોકો ઘણી વાર નજરઅંદાજ કરી દે છે. જો તમને આજકાલ ભૂખ ખૂબ જ ઓછી લાગી રહી હોય અને ઊબકા (જીવ ગભરાવો) જેવી તકલીફ થઈ રહી હોય, તો તમને પીળિયો હોઈ શકે છે. તેથી, તમારે ડૉક્ટર પાસે તપાસ જરૂર કરાવવી જોઈએ.

4 / 6
પીળિયો થયા પછી તમને પેટની જમણી બાજુએ સખત દુખાવો થઈ શકે છે. તેથી, તમારે આને બિલકુલ નજરઅંદાજ ન કરવો જોઈએ. દુખાવો, સોજો કે અસહજતા પણ અનુભવાઈ શકે છે. જો તમારી આંખો અને ત્વચાનો રંગ પીળો પડવા લાગ્યો હોય, તો તમારે તુરંત તપાસ કરાવી લેવી જોઈએ. આ સિવાય ત્વચા અને ક્યારેક નખમાં પણ પીળાશ જોવા મળી શકે છે.

પીળિયો થયા પછી તમને પેટની જમણી બાજુએ સખત દુખાવો થઈ શકે છે. તેથી, તમારે આને બિલકુલ નજરઅંદાજ ન કરવો જોઈએ. દુખાવો, સોજો કે અસહજતા પણ અનુભવાઈ શકે છે. જો તમારી આંખો અને ત્વચાનો રંગ પીળો પડવા લાગ્યો હોય, તો તમારે તુરંત તપાસ કરાવી લેવી જોઈએ. આ સિવાય ત્વચા અને ક્યારેક નખમાં પણ પીળાશ જોવા મળી શકે છે.

5 / 6
જો તમને કોઈ કામ કર્યા વગર પણ સતત નબળાઈ અને થાક અનુભવાતો હોય, તો તમને પીળિયો હોઈ શકે છે. ધ્યાન દોરવા જેવું એ છે કે, આ એનું પ્રારંભિક લક્ષણ પણ હોઈ શકે છે, જેને ભૂલથી પણ નજરઅંદાજ ન કરવું જોઈએ. (Getty Image)

જો તમને કોઈ કામ કર્યા વગર પણ સતત નબળાઈ અને થાક અનુભવાતો હોય, તો તમને પીળિયો હોઈ શકે છે. ધ્યાન દોરવા જેવું એ છે કે, આ એનું પ્રારંભિક લક્ષણ પણ હોઈ શકે છે, જેને ભૂલથી પણ નજરઅંદાજ ન કરવું જોઈએ. (Getty Image)

6 / 6
જો તમે પીળિયાથી બચવાના ઉપાયો અપનાવવા માંગતા હોવ, તો કેટલીક રીતો અપનાવી શકો છો. આમાં દારૂ (આલ્કોહોલ) થી દૂર રહેવું, હેલ્ધી ખોરાક લેવો, હાથની સ્વચ્છતા રાખવી, સાફ અને ઉકાળેલું પાણી પીવું જોઈએ. (Getty Image)

જો તમે પીળિયાથી બચવાના ઉપાયો અપનાવવા માંગતા હોવ, તો કેટલીક રીતો અપનાવી શકો છો. આમાં દારૂ (આલ્કોહોલ) થી દૂર રહેવું, હેલ્ધી ખોરાક લેવો, હાથની સ્વચ્છતા રાખવી, સાફ અને ઉકાળેલું પાણી પીવું જોઈએ. (Getty Image)

Follow Us
Loading...
Unable to load recommendations.