
જણાવી દઈએ કે, લીંબુના પાનમાં રહેલા પોષક તત્વો માઈગ્રેનના દુખાવાને દૂર કરવામાં અસરકારક સાબિત થઈ શકે છે. હવે સવાલ એ ઊભો થાય છે કે, લીંબુના પાનનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ?

લીંબુના પાનને ઉકાળીને તેને હર્બલ ટી (હર્બલ ચા) ની જેમ પી શકાય છે. જો તમારે હર્બલ ટી ન પીવી હોય, તો તમે લીંબુના પાનને પીસી લો અને પછી તેની પેસ્ટને તમારા કપાળ પર લગાવો. જો કે, શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે લીંબુના પાનનું તેલ બનાવીને વાપરવાની સલાહ આપવામાં આવે છે.

લીંબુના પાનમાંથી તેલ બનાવવા માટે કઢાઈમાં 200 મિલી લિટર નાળિયેરનું તેલ અથવા સરસવનું તેલ અથવા તલનું તેલ લો. ત્યારબાદ મિક્સરમાં એક ગ્લાસ પાણી અને 25 લીંબુના પાન નાખીને બરાબર પીસી લો. હવે આ મિશ્રણને ગરમ કરેલા તેલમાં મિક્સ કરો. તમારે ધીમી આંચ પર આ તેલને ત્યાં સુધી ઉકળવા દેવાનું છે, જ્યાં સુધી પાણી પૂરેપૂરું બળી ન જાય. ત્યારબાદ ગેસ બંધ કરીને તેલને ઠંડું થવા દો અને પછી તેને કોઈ પણ સાફ તેમજ સૂકી બોટલમાં ભરી લો.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, લીંબુના પાનમાં 'લિનાલૂલ' (linalool) અને 'લાઈમીન' (limonene) નામના બે કમ્પાઉન્ડ હોય છે, જે નર્વસ સિસ્ટમને શાંત કરીને માઈગ્રેનના દુખાવાને ઘટાડવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.

વધુ સારા પરિણામ મેળવવા માટે તમારે દરરોજ રાત્રે સૂતા પહેલા અથવા જ્યારે પણ માઈગ્રેનનો દુખાવો થાય ત્યારે, લીંબુના પાનથી બનાવેલા તેલથી બરાબર મસાજ કરવાનું છે. તેલ લગાવ્યા પછી તમને પોતાની મેળે જ સકારાત્મક અસર અનુભવાશે.