
નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, ઊંઘનો અભાવ તમારી યાદશક્તિને નબળી પાડે છે અને નિર્ણય લેવાની ક્ષમતા ઘટાડે છે. આ ઉપરાંત, ઊંઘની શારીરિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે જેમ કે નબળી રોગપ્રતિકારક શક્તિ, જેના કારણે શરીર રોગ સામે લડવામાં નબળું પડી જાય છે. કેટલાક લોકોને માથાનો દુખાવો પણ લાગે છે. લાંબા સમય સુધી ઊંઘનો અભાવ હોવાને કારણે સ્થૂળતા, હૃદય સંબંધિત સમસ્યાઓ અને ડાયાબિટીસનું જોખમ વધે છે.

બીજીબાજુ, દરરોજ પૂરતી ઊંઘ લેવાથી મન શાંત રહે છે, ઉર્જા મળે છે અને તમે દિવસભર વધુ સારી રીતે કામ કરી શકો છો. પૂરતી ઊંઘ લેવાથી ચીડિયાપણું, મૂડ સ્વિંગ અને તણાવ જેવી સમસ્યા અટકી જાય છે.

દરરોજ સૂવાનો અને જાગવાનો સમય નક્કી કરો. સૂતા પહેલા મોબાઇલ, લેપટોપ અને ટીવીથી દૂર રહો. સારી ઊંઘ માટે ઊંડા શ્વાસ લેવાની કસરતો, યોગ અને સંગીત સાંભળો. કોફી અને ચામાં કેફીન હોય છે જે ઊંઘને અસર કરે છે, તેથી તેને પીવાનું ટાળો.
Published On - 9:02 pm, Wed, 13 August 25