
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, GSTમાં નવા ફેરફારોથી સામાન્ય ગ્રાહકોને રાહત મળશે અને ખર્ચ કરવાની ક્ષમતા વધશે. આ સાથે, ઘરેલુ ઉત્પાદનોને પણ પ્રોત્સાહન મળશે અને નાના વેપારીઓને પણ નવા GST સુધારાનો લાભ મળશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે એ પણ કહ્યું કે, નવા GST સુધારાથી ટેક્સ સ્લેબને સમજવામાં સરળતા રહેશે. આનાથી વ્યવસાયમાં વિવાદો ઓછા થશે અને ઉદ્યોગોને ફાયદો થશે.