
ઘણા લોકો એવું માની લે છે કે, બ્રેડ હલકી હોય છે અને રોજ સવારે ખાલી પેટે ખાઈ શકાય છે પરંતુ આયુર્વેદ તેમજ આધુનિક વિજ્ઞાન બંને આનાથી વિપરીત ચેતવણી આપે છે. ખાલી પેટે માત્ર બ્રેડનું સેવન શરીર પર ઘણી નકારાત્મક અસરો કરી શકે છે.

બ્રેડ મુખ્યત્વે રિફાઇન્ડ કાર્બોહાઇડ્રેટ્સ (મેંદા) થી બનેલી હોય છે, જે પાચન દરમિયાન ઝડપથી ગ્લુકોઝમાં ફેરવાઈ જાય છે. સવારે ખાલી પેટે તેને ખાવાથી બ્લડ સુગર અચાનક વધી જાય છે. થોડા સમય પછી સુગર લેવલ ઝડપથી ઘટે છે. હવે આના કારણે વ્યક્તિ થાક, ચક્કર અને નબળાઈ અનુભવાઈ શકે છે.

બીજું કે, જે લોકોને ડાયાબિટીસનું જોખમ છે અથવા જેમનું સુગર કંટ્રોલ નબળું છે, તેમના માટે આ આદત ખાસ કરીને નુકસાનકારક હોઈ શકે છે. આયુર્વેદિક દ્રષ્ટિકોણથી, સવારે વધુ શર્કરાવાળો ખોરાક (Sugary Foods) લેવાથી પિત્ત અને કફનું સંતુલન બગડે છે, જે શરીરમાં સુસ્તી તેમજ અસ્વસ્થતા પેદા કરે છે.

નોંધનીય છે કે, સફેદ બ્રેડમાં ફાઈબર, વિટામિન E અને આવશ્યક મિનરલ્સ ખૂબ જ ઓછી માત્રામાં હોય છે. આ પોષક તત્વો પાચનતંત્રને સક્રિય રાખવા, લોહીને શુદ્ધ રાખવા અને મેટાબોલિઝમ સુધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. લાંબા સમય સુધી નિયમિતપણે બ્રેડ ખાવાથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધી શકે છે, જેનાથી હૃદય રોગનું જોખમ પણ વધી જાય છે.

ખાલી પેટે બ્રેડ ખાવાની બીજી અસર વજન પર પડે છે. બ્રેડ પેટને લાંબા સમય સુધી ભરેલું રાખતી નથી, તેથી વારંવાર ભૂખ લાગે છે અને ઓવરઈટિંગ (વધુ પડતું ખાવા) ની શક્યતા વધી જાય છે. વધારાના કાર્બોહાઇડ્રેટ્સ ધીમે ધીમે શરીરમાં ચરબી તરીકે જમા થવા લાગે છે. ફાઈબરની અછતને કારણે પાચન ધીમું થઈ જાય છે અને કબજિયાતની સમસ્યા પણ થઈ શકે છે, જેનાથી મેટાબોલિક રેટ ઘટીને વજન વધવા લાગે છે.

આ ઉપરાંત, બ્રેડમાંથી મળતી ઊર્જા અલ્પકાલિક (Ephemeral) હોય છે. પહેલા થોડી વાર માટે ઊર્જા મળે છે પછી જલ્દી થાક લાગવા માંડે છે. આયુર્વેદ મુજબ સવારનો ખોરાક પાચન અગ્નિને મજબૂત કરનારો હોવો જોઈએ પરંતુ માત્ર બ્રેડ ખાવાથી અગ્નિ નબળી પડી શકે છે. એવામાં આનાથી અપચો, ગેસ અને ભારેપણું અનુભવાય છે. આથી વધુ સારું છે કે, સવારના નાસ્તામાં પ્રોટીન, ફાઈબર અને હેલ્ધી ફેટથી ભરપૂર સંતુલિત આહારનો સમાવેશ કરવામાં આવે.