8 કલાકની પૂરતી ઊંઘ છતાં સવારે લાગે છે ‘થાક’? તો સાવધાન ! શરીરમાં છુપાયેલી આ બીમારી હોઈ શકે છે ‘મોટું કારણ’

શું તમે રાતભર 7-8 કલાકની ભરપૂર ઊંઘ લીધા પછી પણ સવારે ઉઠતાની સાથે જ થાક અનુભવો છો? શું તમને આખો દિવસ એવું લાગે છે કે, શરીરમાં ઊર્જા (Energy) બચી જ નથી? જો હા, તો આને માત્ર કામનો તણાવ કે ભાગદોડ માનીને નજરઅંદાજ કરવું ભારે પડી શકે છે.

| Updated on: Feb 25, 2026 | 4:43 PM
1 / 7
સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, સતત રહેતો આ થાક હાઈ બ્લડ સુગર (ડાયાબિટીસ) નો પ્રારંભિક અને ગંભીર સંકેત હોઈ શકે છે. તબીબી વિજ્ઞાન અનુસાર, જ્યારે શરીરમાં ઇન્સ્યુલિનનું સંતુલન બગડે છે, ત્યારે 'હાઇપરગ્લાયસેમિયા'ની સ્થિતિ સર્જાય છે.

સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, સતત રહેતો આ થાક હાઈ બ્લડ સુગર (ડાયાબિટીસ) નો પ્રારંભિક અને ગંભીર સંકેત હોઈ શકે છે. તબીબી વિજ્ઞાન અનુસાર, જ્યારે શરીરમાં ઇન્સ્યુલિનનું સંતુલન બગડે છે, ત્યારે 'હાઇપરગ્લાયસેમિયા'ની સ્થિતિ સર્જાય છે.

2 / 7
ટૂંકમાં, ગ્લુકોઝ આપણા શરીર માટે બળતણ (Fuel) નું કામ કરે છે. ઇન્સ્યુલિનની ઊણપને કારણે જ્યારે આ ગ્લુકોઝ લોહીમાંથી કોષો (Cells) સુધી પહોંચી શકતું નથી, ત્યારે શરીરને પૂરતી ઊર્જા મળતી નથી અને તમે થાક અનુભવો છો.

ટૂંકમાં, ગ્લુકોઝ આપણા શરીર માટે બળતણ (Fuel) નું કામ કરે છે. ઇન્સ્યુલિનની ઊણપને કારણે જ્યારે આ ગ્લુકોઝ લોહીમાંથી કોષો (Cells) સુધી પહોંચી શકતું નથી, ત્યારે શરીરને પૂરતી ઊર્જા મળતી નથી અને તમે થાક અનુભવો છો.

3 / 7
લોહીમાં સુગરનું પ્રમાણ વધવા પર કિડની વધારાની સુગરને બહાર કાઢવા માટે વધુ પેશાબ બનાવે છે. એવામાં વારંવાર પેશાબ આવવાને કારણે શરીરમાં પાણીની અછત (ડીહાઈડ્રેશન) સર્જાય છે, જે થાક અને નબળાઈનું મુખ્ય કારણ બને છે.

લોહીમાં સુગરનું પ્રમાણ વધવા પર કિડની વધારાની સુગરને બહાર કાઢવા માટે વધુ પેશાબ બનાવે છે. એવામાં વારંવાર પેશાબ આવવાને કારણે શરીરમાં પાણીની અછત (ડીહાઈડ્રેશન) સર્જાય છે, જે થાક અને નબળાઈનું મુખ્ય કારણ બને છે.

4 / 7
સામાન્ય કરતાં વધુ તરસ લાગવી અને વારંવાર પેશાબ થવો એ હાઈ સુગરનું સૌથી મોટું લક્ષણ છે, જ્યારે સુગર લેવલ વધવાને કારણે આંખોના લેન્સના આકાર પર અસર પડે છે, જેના કારણે જોવામાં તકલીફ થાય છે.

સામાન્ય કરતાં વધુ તરસ લાગવી અને વારંવાર પેશાબ થવો એ હાઈ સુગરનું સૌથી મોટું લક્ષણ છે, જ્યારે સુગર લેવલ વધવાને કારણે આંખોના લેન્સના આકાર પર અસર પડે છે, જેના કારણે જોવામાં તકલીફ થાય છે.

5 / 7
આ ઉપરાંત, જો નાની અમથી ઈજા કે ઘા રૂઝાવામાં અઠવાડિયાનો સમય લાગે, કોઈ પણ પ્રયત્ન વગર અચાનક વજન ઘટવા લાગે અથવા હાથ-પગમાં કીડીઓ ચાલતી હોય તેવી ઝણઝણાટી કે સુન્નતા અનુભવાય, તો આ તમામ સંકેતો લોહીમાં સુગરનું પ્રમાણ વધ્યું હોવાનું અને નસો પર તેની નકારાત્મક અસર દર્શાવે છે.

આ ઉપરાંત, જો નાની અમથી ઈજા કે ઘા રૂઝાવામાં અઠવાડિયાનો સમય લાગે, કોઈ પણ પ્રયત્ન વગર અચાનક વજન ઘટવા લાગે અથવા હાથ-પગમાં કીડીઓ ચાલતી હોય તેવી ઝણઝણાટી કે સુન્નતા અનુભવાય, તો આ તમામ સંકેતો લોહીમાં સુગરનું પ્રમાણ વધ્યું હોવાનું અને નસો પર તેની નકારાત્મક અસર દર્શાવે છે.

6 / 7
બચાવ માટે સૌથી પહેલા તો વિલંબ કર્યા વગર 'HbA1C' અને 'ફાસ્ટિંગ સુગર' ટેસ્ટ કરાવીને નિયમિત તપાસ શરૂ કરવી જોઈએ. શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવા માટે પૂરતા પ્રમાણમાં પાણી પીને હાઈડ્રેટેડ રહેવું અને હળવી શારીરિક પ્રવૃત્તિ કે વૉકિંગને દિનચર્યાનો હિસ્સો બનાવી એક્ટિવ લાઈફસ્ટાઈલ અપનાવવી ખૂબ જરૂરી છે.

બચાવ માટે સૌથી પહેલા તો વિલંબ કર્યા વગર 'HbA1C' અને 'ફાસ્ટિંગ સુગર' ટેસ્ટ કરાવીને નિયમિત તપાસ શરૂ કરવી જોઈએ. શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવા માટે પૂરતા પ્રમાણમાં પાણી પીને હાઈડ્રેટેડ રહેવું અને હળવી શારીરિક પ્રવૃત્તિ કે વૉકિંગને દિનચર્યાનો હિસ્સો બનાવી એક્ટિવ લાઈફસ્ટાઈલ અપનાવવી ખૂબ જરૂરી છે.

7 / 7
આ ઉપરાંત, ખાનપાનમાં ફેરફાર કરીને મેંદો, ખાંડ અને પ્રોસેસ્ડ ફૂડનો ત્યાગ કરવો જોઈએ અને તેના બદલે ફાઈબર તથા પ્રોટીનયુક્ત પૌષ્ટિક આહાર લેવો જોઈએ.

આ ઉપરાંત, ખાનપાનમાં ફેરફાર કરીને મેંદો, ખાંડ અને પ્રોસેસ્ડ ફૂડનો ત્યાગ કરવો જોઈએ અને તેના બદલે ફાઈબર તથા પ્રોટીનયુક્ત પૌષ્ટિક આહાર લેવો જોઈએ.