
ઉત્તરપ્રદેશમાં વર્ષોથી મંદિર-મસ્જિદ વિવાદ ચાલતો આવ્યો છે. આ તમામ કેસમાં 2 ચેહરા છે તે સૌથી વધુ ચર્ચામાં રહ્યા છે. આ પિતા-પુત્રની જોડી હિંદુ પક્ષ તરફથી કેસ લડતા જોવા મળ્યા છે. બંન્ને વકીલ છે

આજે અમે વાત કરી રહ્યા છે પિતા હરિ શંકર જૈન અને વિષ્ણુ શંકર જેનની આ પિતા-પુત્રની જોડી અત્યારસુધી અનેક કેસ લડી ચૂકી છે. આજે અમે તમને હરિ શંકર જૈનના પરિવાર વિશે જાણીએ.

હરિ શંકર જૈન ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉના રહેવાસી છે. જાણકારી અનુસાર હરિ શંકર જૈન વકીલાત કરતા 47 વર્ષ થઈ ગયા છે. તેમણે 1976માં કાયદાનો અભ્યાસ શરુ કર્યો હતો.

તેમના પુત્ર વિષ્ણુ જૈનનો જન્મ 9 ઓક્ટોમ્બર 1986ના રોજ થયો છે. વિષ્ણુ પણ પિતાના પગલે ચાલ્યો અને તેમણે વર્ષ 2010માં લોની ડિગ્રી મેળવી. ત્યારબાદ એડવોકેટ તરીકેનું કરિયર શરુ કર્યું

ત્યારબાદ શ્રીરામ જન્મભુમિ મામલે પ્રેક્ટિસ શરુ કરી. હિંદુ ધર્મ સંબંધિત અંદાજે 102 કેસમાં હરિશંકર જૈન અને વિષ્ણુ જૈન લડ્યા છે. જેમાં સૌથી જૂનો કેસ વર્ષ 1990નો છે. ખાસ વાત તો એ છે કે, મોટાભાગના કેસ આ પિતા-પુત્રીની જોડીએ જીત્યા છે.