
આ વધારો એવા સમયે જોવા મળ્યો હતો જ્યારે શેરબજારની ગતિ ધીમી હતી. દરમિયાન સ્થાનિક બ્રોકરેજ આનંદ રાઠીએ આ શેર માટે રૂ. 4950નો ટાર્ગેટ ભાવ આપ્યો છે. આ સાથે બ્રોકરેજે શેર ખરીદવાની સલાહ આપી છે.

હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના શેરહોલ્ડિંગ પેટર્ન વિશે વાત કરીએ તો, 30 સપ્ટેમ્બર, 2024 સુધીમાં, પ્રમોટર્સ પાસે કંપનીમાં 71.64 ટકા હિસ્સો હતો, જ્યારે FII પાસે 11.85 ટકા અને DII પાસે 8.33 ટકા હિસ્સો હતો. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીએ કુલ રૂ. 6518.70 કરોડની આવક નોંધાવી છે, જે અગાઉના ક્વાર્ટરમાં રૂ. 5083.85 કરોડની કુલ આવક કરતાં 28.22% વધુ છે. જ્યારે કંપનીની કુલ આવકની વાત કરીએ તો તે 6105.07 કરોડ રૂપિયા છે.