
દિલ્હીના રાજ્યપાલ અને લદ્દાખના રાજ્યપાલે સોમનાથ મહાદેવને ગંગાજળ અભિષેક કર્યો હતો.

ટ્રસ્ટના જનરલ મેનેજરે તેમને સ્મૃતિભેટ આપી સન્માન કર્યુ હતુ.

સોમનાથ મંદિર પરિસર પાસે આવેલ સમુદ્ર દર્શન પથ, દક્ષિણ ધ્રુવ બાણ સ્થંભ, સોમનાથ મંદિરના સમરાંગણ પર લાગેલા સૂવર્ણ કળશ સહિતના યાત્રિ સેવા તેમજ મંદિરના વિકાસના પ્રોજેક્ટની માહિતી મેળવી હતી.

સોમનાથ ટ્રસ્ટના પૂજારીએ ઉપવસ્ત્ર આપી બંને મહાનુભાવોનું સ્વાગત કર્યુ હતુ. Input Credit- Yogesh Joshi- Gir Somnath