
રિટેલ ધંધામાં નફો સામાન્ય રીતે 30% થી 50% જેટલો મળે છે, જ્યારે હોલસેલમાં 15% થી 25% સુધીનો નફો મળી રહે છે. મકરસંક્રાંતિના દિવસો પહેલા તમે રોજના ₹2,000 થી ₹10,000 સુધીની કમાણી કરી શકો છો અને એક સીઝનમાં કુલ ₹30,000 થી ₹2 લાખ સુધીનો નફો મેળવી શકાય છે.

આ બિઝનેસ શરૂ કરવાનો સૌથી યોગ્ય સમય નવેમ્બર મહિનાના અંતથી લઈને ડિસેમ્બર મહિનાની શરૂઆત સુધીનો છે. આ સમય દરમિયાન બિઝનેસ શરૂ કરવાથી તમને ઉતરાયણ પહેલાં બજારમાં નવી ડિઝાઇનવાળા પતંગ અને દોરી સપ્લાય કરવાની તક મળે છે, જેથી ગ્રાહકોને તહેવાર પહેલા આકર્ષક પ્રોડક્ટ્સ મળી શકે.

જરૂરી ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, ઉદ્યમ રજીસ્ટ્રેશન અને જો Export કરવું હોય તો IEC કોડની જરૂર પડે છે. માર્કેટિંગ માટે Instagram, Facebook અને WhatsApp Group નો ઉપયોગ કરી શકાય છે, જ્યારે ઑફર અને ડિસ્કાઉન્ટથી ગ્રાહકો આકર્ષી શકાય છે.

હોલસેલ માટે સ્થાનિક ફેક્ટરી અને સપ્લાયર સાથે ડીલ કરો, જ્યારે રિટેલ માટે તમે તમારા બ્રાન્ડના નામે “કાઈટ કીટ” બનાવી શકો છો, જેમાં પતંગ અને દોરીના પેક જોવા મળે. Meesho, Amazon અને Flipkart જેવા પ્લેટફોર્મ્સથી ઓનલાઇન વેચાણ પણ કરી શકો છો.