
ગીતામંદિર કે જ્યાં પ્રત્યેક સ્તંભ પર ગીતાજીના અધ્યાય લખવામાં આવ્યા છે જે દર્શાવે છે કે ગીતાજીની જ્ઞાન ધારા માનવતા, સંસ્કૃતિ અને ધર્મ ના આધાર રૂપે વિશ્વમાં અસ્તિત્વ ધરાવે છે.

આ પ્રસંગે ટ્રસ્ટી જે.ડી.પરમાર દ્વારા ગોલોકધામ તીર્થના કેન્દ્રમાં બિરાજમાન ભગવાન શ્રીકૃષ્ણની ચરણ પાદુકાનું ભવપૂર્વક પૂજન કરી અભિષેક કરવામાં આવેલ. જેનો મોટી માત્રામાં શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો તેમજ આવનાર દરેક ભકતોને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યુ.