Health Tips : ઘી કે તેલ, બેડ કોલેસ્ટ્રોલ હોય તો રોટલી પર શું લગાવવું જોઈએ? જાણો શું કહે છે નિષ્ણાતો!

રોટલી પર ઘી લગાવવું કે તેલ તે વ્યક્તિના સ્વાસ્થ્ય અને ડાયટ પર આધાર કરે છે. ઘી અને તેલ બંનેના પોતાના ફાયદા અને નુકસાન છે. રોટલીને નરમ રાખવા માટે મોટાભાગે લોકો ઘી અથવા તેલ લગાવે છે.

| Updated on: May 21, 2026 | 12:14 PM
1 / 7
ઘણા લોકોને તેલ કરતા ઘી ખાવું પસંદ હોય છે. લોકો માને છે કે તેલ કરતાં ઘી સ્વાસ્થ્ય માટે સારું હોય છે. તેથી લોકો ઘીનો વપરાશ વધારે માત્રામાં કરે છે.

ઘણા લોકોને તેલ કરતા ઘી ખાવું પસંદ હોય છે. લોકો માને છે કે તેલ કરતાં ઘી સ્વાસ્થ્ય માટે સારું હોય છે. તેથી લોકો ઘીનો વપરાશ વધારે માત્રામાં કરે છે.

2 / 7
ઘીમાં ફેટ્સ અને વિટામિન્સ જેવા અનેક પોષક તત્વ હોય છે તેથી તે પાચન સુધારવામાં મદદ થઈ શકે છે. ઘી શરીરને ઊર્જા આપે છે. રોટલી પર ઘી લગાવવાથી તે સ્વાદિષ્ટ બને છે. નિષ્ણાતોના મતે, મર્યાદિત માત્રામાં ઘી શરીર માટે લાભદાયક હોય છે.

ઘીમાં ફેટ્સ અને વિટામિન્સ જેવા અનેક પોષક તત્વ હોય છે તેથી તે પાચન સુધારવામાં મદદ થઈ શકે છે. ઘી શરીરને ઊર્જા આપે છે. રોટલી પર ઘી લગાવવાથી તે સ્વાદિષ્ટ બને છે. નિષ્ણાતોના મતે, મર્યાદિત માત્રામાં ઘી શરીર માટે લાભદાયક હોય છે.

3 / 7
જો તમારા શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધારે હોય અથવા તો હૃદયરોગ અને મોટાપાની સમસ્યા હોય તે ટાઈમે ઘીનું સેવન કરવું ટાળવું જોઈએ. સાથે જે લોકો વજન ઘટાડવાનો પ્રયત્ન કરતા હોય તે લોકોએ પણ ઘીને અવોઈડ કરવું જોઈએ.

જો તમારા શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધારે હોય અથવા તો હૃદયરોગ અને મોટાપાની સમસ્યા હોય તે ટાઈમે ઘીનું સેવન કરવું ટાળવું જોઈએ. સાથે જે લોકો વજન ઘટાડવાનો પ્રયત્ન કરતા હોય તે લોકોએ પણ ઘીને અવોઈડ કરવું જોઈએ.

4 / 7
મગફળીનું તેલ, ઓલિવ ઓઈલ અને સરસવનું તેલ હેલ્ધી માનવામાં આવે છે. આ તેલમાં અનસેચ્યુરેટેડ ફેટ (ગુડ ફેટ) હોય છે. તેથી આ તેલોને હાર્ટના હેલ્થ માટે લાભદાયક માનવામાં આવે છે. ઘી કરતાં કેટલાક તેલમાં સેચ્યુરેટેડ ફેટ ઓછું હોય છે. તે બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરી શકે છે.

મગફળીનું તેલ, ઓલિવ ઓઈલ અને સરસવનું તેલ હેલ્ધી માનવામાં આવે છે. આ તેલમાં અનસેચ્યુરેટેડ ફેટ (ગુડ ફેટ) હોય છે. તેથી આ તેલોને હાર્ટના હેલ્થ માટે લાભદાયક માનવામાં આવે છે. ઘી કરતાં કેટલાક તેલમાં સેચ્યુરેટેડ ફેટ ઓછું હોય છે. તે બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરી શકે છે.

5 / 7
થોડું દેશી ઘી જો રોટલી પર લગાવવામાં આવે તો તે નુકસાનકારક નથી પરંતુ જો હાર્ટ અને કોલેસ્ટ્રોલની સમસ્યા હોય તો ઓછી માત્રામાં હેલ્ધી તેલ વધુ યોગ્ય હોઈ શકે. બંને વસ્તુઓ મર્યાદિત માત્રામાં જ લેવી જોઈએ.

થોડું દેશી ઘી જો રોટલી પર લગાવવામાં આવે તો તે નુકસાનકારક નથી પરંતુ જો હાર્ટ અને કોલેસ્ટ્રોલની સમસ્યા હોય તો ઓછી માત્રામાં હેલ્ધી તેલ વધુ યોગ્ય હોઈ શકે. બંને વસ્તુઓ મર્યાદિત માત્રામાં જ લેવી જોઈએ.

6 / 7
નિષ્ણાતોના મતે, વધારે માત્રામાં તેલ કે ઘી બંને સ્વાસ્થ માટે નુકસાનકારક બની શકે. ડાયટ અને કસરત બંન્નેને મહત્વ આપવું જોઈએ. બજારમાં મળતા ઘી કરતા ઘરમાં બનાવેલું ઘી સ્વાસ્થ માટે વધારે લાભદાયક હોઈ શકે છે અને તેલ હમેશા સારા ગુણવત્તાવાળું પસંદ કરવું જોઈએ.

નિષ્ણાતોના મતે, વધારે માત્રામાં તેલ કે ઘી બંને સ્વાસ્થ માટે નુકસાનકારક બની શકે. ડાયટ અને કસરત બંન્નેને મહત્વ આપવું જોઈએ. બજારમાં મળતા ઘી કરતા ઘરમાં બનાવેલું ઘી સ્વાસ્થ માટે વધારે લાભદાયક હોઈ શકે છે અને તેલ હમેશા સારા ગુણવત્તાવાળું પસંદ કરવું જોઈએ.

7 / 7
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર નિષ્ણાતો અને રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર નિષ્ણાતો અને રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

Follow Us
Loading...
Unable to load recommendations.