
કીડીઓથી છુટકારો મેળવવા માટે લીંબુના રસમાં થોડું મીઠું ભેળવીને દરવાજા અને બારીઓની આસપાસ લગાવો. કીડીઓ તે રસ્તેથી આવશે પણ નહીં.

જ્યાં કીડીઓ વધુ આવે છે, ત્યાં તજ પાવડર છાંટો. તેમાં રહેલી ગંધ કીડીઓને દૂર રાખે છે.

વંદાથી છુટકારો મેળવવા માટે બોરિક પાવડરમાં થોડી ખાંડ ભેળવીને તે જગ્યાએ રાખો જ્યાં કોકરોચ આવે છે. ખાંડ તેમને આકર્ષે છે અને બોરિક પાવડર તેમને મારી નાખે છે.

લીંબુ અથવા નારંગીની છાલને પાણીમાં ઉકાળો અને તે પાણીથી ઘર સાફ કરો. કોકરોચ તેની ગંધથી ભાગી જાય છે.