નબળા હૃદયવાળા દૂર રહે… જો પત્ની પર જુલમ કર્યો તો ‘ગરુડ પુરાણ’ મુજબ ચૂકવવી પડે છે ‘ભયંકર કિંમત’

ગરુડ પુરાણમાં મનુષ્યના કર્મો અને તેનાથી મળતા પરિણામો વિશે મહત્વની વાતો જણાવવામાં આવી છે. હિંદુ ધર્મમાં પત્નીને અર્ધાંગિનીનો દરજ્જો અપાયો છે. આ પવિત્ર ગ્રંથ અનુસાર જે પતિ પોતાની પત્ની પર અત્યાચાર કરે છે કે તેનું અપમાન કરે છે, તેણે મૃત્યુ પછી અને આગામી જન્મમાં એક એવું ભયંકર પરિણામ ભોગવવું પડે છે કે, જેની કોઈ કલ્પના પણ નથી કરી શકતું.

| Updated on: Jun 29, 2026 | 4:53 PM
1 / 5
હિંદુ ધર્મમાં ગરુડ પુરાણને ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રંથ માનવામાં આવ્યો છે. આમાં માત્ર મૃત્યુ સાથે જોડાયેલું સત્ય જ નહીં પરંતુ જીવન, કર્મ, પાપ-પુણ્ય અને મૃત્યુ પછી મળતી સજાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

હિંદુ ધર્મમાં ગરુડ પુરાણને ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રંથ માનવામાં આવ્યો છે. આમાં માત્ર મૃત્યુ સાથે જોડાયેલું સત્ય જ નહીં પરંતુ જીવન, કર્મ, પાપ-પુણ્ય અને મૃત્યુ પછી મળતી સજાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

2 / 5
હિંદુ ધર્મમાં પત્નીને 'અર્ધાંગિની' કહેવામાં આવી છે અને પત્નીનું સન્માન કરવું એ પતિનો ધર્મ જ નહીં પરંતુ કર્તવ્ય પણ છે. એવામાં જે વ્યક્તિ પત્ની પર અત્યાચાર કરે છે, તેના માટે ગરુડ પુરાણમાં પહેલાથી જ સજા નક્કી છે.

હિંદુ ધર્મમાં પત્નીને 'અર્ધાંગિની' કહેવામાં આવી છે અને પત્નીનું સન્માન કરવું એ પતિનો ધર્મ જ નહીં પરંતુ કર્તવ્ય પણ છે. એવામાં જે વ્યક્તિ પત્ની પર અત્યાચાર કરે છે, તેના માટે ગરુડ પુરાણમાં પહેલાથી જ સજા નક્કી છે.

3 / 5
ગરુડ પુરાણ અનુસાર, પત્નીને દુઃખ આપનાર કે તેનું અપમાન કરનાર વ્યક્તિ પાપનો ભાગીદાર બને છે અને મૃત્યુ પછી તેણે નરક ભોગવવું પડે છે.  ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે, પત્નીને કષ્ટ આપનારી કે માનસિક રીતે પ્રતાડિત કરનારી વ્યક્તિને નરકમાં ભયંકર યાતનાઓ સહન કરવી પડે છે. તેને ત્યાં સુધી યાતનાઓ આપવામાં આવે છે, જ્યાં સુધી તેને પોતાના ખરાબ કર્મોનું પ્રાયશ્ચિત ન થઈ જાય.

ગરુડ પુરાણ અનુસાર, પત્નીને દુઃખ આપનાર કે તેનું અપમાન કરનાર વ્યક્તિ પાપનો ભાગીદાર બને છે અને મૃત્યુ પછી તેણે નરક ભોગવવું પડે છે. ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે, પત્નીને કષ્ટ આપનારી કે માનસિક રીતે પ્રતાડિત કરનારી વ્યક્તિને નરકમાં ભયંકર યાતનાઓ સહન કરવી પડે છે. તેને ત્યાં સુધી યાતનાઓ આપવામાં આવે છે, જ્યાં સુધી તેને પોતાના ખરાબ કર્મોનું પ્રાયશ્ચિત ન થઈ જાય.

4 / 5
એવું કહેવાય છે કે, પત્ની પર જુલમ/અત્યાચાર કરનાર વ્યક્તિને મૃત્યુ પછી જો ફરીથી મનુષ્ય યોનિમાં જન્મ મળે છે, તો પણ તેણે કષ્ટ અને મુશ્કેલીઓ ભોગવવી પડે છે. વધુમાં તેને જીવનભર સન્માન મળતું નથી.

એવું કહેવાય છે કે, પત્ની પર જુલમ/અત્યાચાર કરનાર વ્યક્તિને મૃત્યુ પછી જો ફરીથી મનુષ્ય યોનિમાં જન્મ મળે છે, તો પણ તેણે કષ્ટ અને મુશ્કેલીઓ ભોગવવી પડે છે. વધુમાં તેને જીવનભર સન્માન મળતું નથી.

5 / 5
જણાવી દઈએ કે, પત્ની પર અત્યાચાર કરવો, અપમાન કરવું, તેને માનસિક રીતે પ્રતાડિત કરવી કે પત્નીની ભાવનાઓને અવગણવી એ પણ પાપ જ માનવામાં આવે છે.

જણાવી દઈએ કે, પત્ની પર અત્યાચાર કરવો, અપમાન કરવું, તેને માનસિક રીતે પ્રતાડિત કરવી કે પત્નીની ભાવનાઓને અવગણવી એ પણ પાપ જ માનવામાં આવે છે.

Follow Us