Breaking News : પેટ્રોલ ડીઝલને લઈ મોટા સમાચાર, 1 જુલાઈથી થશે આ ફેરફાર, જાણી લો

કેન્દ્ર સરકારે 1 જુલાઈથી પેટ્રોલ અને ડીઝલની દૈનિક 200 લિટર ખરીદી મર્યાદા સંપૂર્ણપણે હટાવી દીધી છે. આ નિર્ણય 12 જૂને અમલમાં મુકાયેલા નિયમનો અંત લાવશે, જે જથ્થાબંધ ખરીદદારોને રોકવા માટે લેવાયો હતો.

| Updated on: Jun 29, 2026 | 10:02 PM
1 / 5
કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના વેચાણને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 1 જુલાઈથી પેટ્રોલ પંપ પર પ્રતિ વ્યક્તિ અને પ્રતિ વાહન દીઠ ઇંધણ ખરીદી પર લાગુ કરાયેલી 200 લિટરની દૈનિક મર્યાદા સંપૂર્ણપણે હટાવી દેવામાં આવશે. આ નિર્ણયથી ખાસ કરીને ટ્રાન્સપોર્ટરો, ઉદ્યોગો અને અન્ય મોટા વાણિજ્યિક ગ્રાહકોને મોટી રાહત મળશે.

કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના વેચાણને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 1 જુલાઈથી પેટ્રોલ પંપ પર પ્રતિ વ્યક્તિ અને પ્રતિ વાહન દીઠ ઇંધણ ખરીદી પર લાગુ કરાયેલી 200 લિટરની દૈનિક મર્યાદા સંપૂર્ણપણે હટાવી દેવામાં આવશે. આ નિર્ણયથી ખાસ કરીને ટ્રાન્સપોર્ટરો, ઉદ્યોગો અને અન્ય મોટા વાણિજ્યિક ગ્રાહકોને મોટી રાહત મળશે.

2 / 5
સરકારે 12 જૂનના રોજ એક આદેશ જાહેર કરીને છૂટક પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ અને ડીઝલની ખરીદી પર દૈનિક 200 લિટરની મર્યાદા નક્કી કરી હતી. આ નિયમ હેઠળ કોઈપણ વ્યક્તિ અથવા વાહન એક દિવસમાં 200 લિટરથી વધુ ઇંધણ ખરીદી શકતું નહોતું. પરિણામે, મોટા વાહનોના સંચાલકો અને વ્યાવસાયિક ગ્રાહકોને જરૂરી પ્રમાણમાં ઇંધણ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.

સરકારે 12 જૂનના રોજ એક આદેશ જાહેર કરીને છૂટક પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ અને ડીઝલની ખરીદી પર દૈનિક 200 લિટરની મર્યાદા નક્કી કરી હતી. આ નિયમ હેઠળ કોઈપણ વ્યક્તિ અથવા વાહન એક દિવસમાં 200 લિટરથી વધુ ઇંધણ ખરીદી શકતું નહોતું. પરિણામે, મોટા વાહનોના સંચાલકો અને વ્યાવસાયિક ગ્રાહકોને જરૂરી પ્રમાણમાં ઇંધણ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.

3 / 5
સરકારનો આ નિર્ણય મુખ્યત્વે જથ્થાબંધ ખરીદદારોને છૂટક પેટ્રોલ પંપ પરથી મોટા પ્રમાણમાં ઇંધણ ખરીદતા અટકાવવા માટે લેવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી મોટા ગ્રાહકો છૂટક પંપ પરથી ઇંધણ ખરીદી રહ્યા હતા, જેના કારણે સામાન્ય વાહનચાલકો માટે ઇંધણની ઉપલબ્ધતા પર અસર થવાની શક્યતા ઊભી થઈ હતી. આ પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે સરકારે 200 લિટરની મર્યાદા અમલમાં મૂકી હતી.

સરકારનો આ નિર્ણય મુખ્યત્વે જથ્થાબંધ ખરીદદારોને છૂટક પેટ્રોલ પંપ પરથી મોટા પ્રમાણમાં ઇંધણ ખરીદતા અટકાવવા માટે લેવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી મોટા ગ્રાહકો છૂટક પંપ પરથી ઇંધણ ખરીદી રહ્યા હતા, જેના કારણે સામાન્ય વાહનચાલકો માટે ઇંધણની ઉપલબ્ધતા પર અસર થવાની શક્યતા ઊભી થઈ હતી. આ પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે સરકારે 200 લિટરની મર્યાદા અમલમાં મૂકી હતી.

4 / 5
હવે બજારમાં ઇંધણની ઉપલબ્ધતા સામાન્ય બનતા સરકારે આ પ્રતિબંધ દૂર કરવાનો નિર્ણય લીધો છે. 1 જુલાઈથી પેટ્રોલ અને ડીઝલની ખરીદી પરની 200 લિટરની મર્યાદા હટાવી દેવામાં આવશે. ત્યારબાદ ગ્રાહકો તેમની જરૂરિયાત મુજબ કોઈપણ મર્યાદા વિના છૂટક પેટ્રોલ પંપ પરથી ઇંધણ ખરીદી શકશે.

હવે બજારમાં ઇંધણની ઉપલબ્ધતા સામાન્ય બનતા સરકારે આ પ્રતિબંધ દૂર કરવાનો નિર્ણય લીધો છે. 1 જુલાઈથી પેટ્રોલ અને ડીઝલની ખરીદી પરની 200 લિટરની મર્યાદા હટાવી દેવામાં આવશે. ત્યારબાદ ગ્રાહકો તેમની જરૂરિયાત મુજબ કોઈપણ મર્યાદા વિના છૂટક પેટ્રોલ પંપ પરથી ઇંધણ ખરીદી શકશે.

5 / 5
સરકારના આ નિર્ણયથી સૌથી વધુ ફાયદો ટ્રાન્સપોર્ટ કંપનીઓ, લોજિસ્ટિક્સ ક્ષેત્ર અને મોટા વાહન માલિકોને થશે. લાંબા અંતરની મુસાફરી કરતા વાહનો માટે એક જ સમયે મોટી માત્રામાં ઇંધણ ભરાવવું જરૂરી બનતું હોય છે. હવે મર્યાદા હટતા તેઓ અગાઉની જેમ સરળતાથી જરૂરી પ્રમાણમાં પેટ્રોલ અથવા ડીઝલ ખરીદી શકશે.

સરકારના આ નિર્ણયથી સૌથી વધુ ફાયદો ટ્રાન્સપોર્ટ કંપનીઓ, લોજિસ્ટિક્સ ક્ષેત્ર અને મોટા વાહન માલિકોને થશે. લાંબા અંતરની મુસાફરી કરતા વાહનો માટે એક જ સમયે મોટી માત્રામાં ઇંધણ ભરાવવું જરૂરી બનતું હોય છે. હવે મર્યાદા હટતા તેઓ અગાઉની જેમ સરળતાથી જરૂરી પ્રમાણમાં પેટ્રોલ અથવા ડીઝલ ખરીદી શકશે.

Published On - 10:01 pm, Mon, 29 June 26

Follow Us