
નિષ્ણાતો કહે છે કે ફ્રિજ અને દિવાલ વચ્ચે થોડી જગ્યા પણ ન રાખવી એ એક મોટી ભૂલ હોઈ શકે છે. માત્ર ચોમાસામાં જ નહીં ગમે તે સિઝન હોય ફ્રિજ અને દિવાલ વચ્ચે થોડુ અંતર તો રાખવું જ જોઈએ. આમ ન કરવામાં આવે તો ફ્રિજનું વેન્ટિલેશન બગડે છે, જે ઠંડકને અસર કરે છે અને ફ્રીજ વધુ ગરમ થઈ શકે છે. ઓવરહિટીંગને કારણે, ફ્રીજમાં આગ પણ લાગી શકે છે અથવા બ્લાસ્ટ પણ થઈ શકે છે.

નિષ્ણાતોના મતે, ફ્રિજને પાછળની દિવાલથી ઓછામાં ઓછું 2 ઇંચ (લગભગ 5 સેમી), ટોચના કેબિનેટથી 1 ઇંચ (લગભગ 2.5 સેમી) અને બંને બાજુથી ઓછામાં ઓછું 1/4 ઇંચ (લગભગ 0.6 સેમી) દૂર રાખવું જોઈએ.

આ સાથે સેમસંગ જેવી મોટી કંપનીએ પણ તેની રેફ્રિજરેટર માર્ગદર્શિકામાં કહ્યું છે કે ફ્રિજની બાજુઓ અને પાછળ 50 મીમી (લગભગ 2 ઇંચ) અને ઉપરથી 100 મીમી (લગભગ 4 ઇંચ) ની જગ્યા હોવી જોઈએ. આ ફ્રિજનું પ્રદર્શન સુધારે છે અને વીજળીનો વપરાશ પણ ઘટાડે છે.

જો તમે અત્યાર સુધી તમારા રેફ્રિજરેટરને દિવાલની નજીક રાખ્યું છે, તો આજથી જ તેને યોગ્ય અંતરે રાખો. આ માત્ર સલામતીની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ નથી, પરંતુ તે રેફ્રિજરેટરની કાર્યક્ષમતા પણ જાળવી રાખે છે.