Health Tips : પાણી પીવું છે, પણ નથી લાગતી તરસ, અપનાવો આ ટીપ્સ રહેશો તંદુરસ્ત, જુઓ તસવીરો

|

Oct 18, 2024 | 9:38 AM

શરીરને તંદુરસ્ત રાખવા માટે વિવિધ પ્રકારના ખોરાકનું સેવન કરતા હોય છે. નિયમિત કસરત કરતા હોય છે. આ તમામ વચ્ચે લોકો પાણી પીવાનું ટાળે છે. જેના પગલે તેમને કેટલાક રોગો થવાની શક્યતામાં વધારો થાય છે. તો કેટલાક લોકોને પાણી પીવુ હોય છે. પરંતુ તેની તરસ લાગતી નથી. તો આજે આપણે જાણીશું કે કઈ ટીપ્સનો ઉપયોગ કરી પાણી પી શકાય છે.

1 / 6
સવારે ખાલી પેટે 2 - 3 ગ્લાસ નવશેકું પાણી પીવાથી તમારા શરીરમાં રહેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. સવારે ઉઠતાની સાથે જ પીવામાં આવેલુ પાણી તમને દિવસભર હાઇડ્રેટેડ રાખે છે.

સવારે ખાલી પેટે 2 - 3 ગ્લાસ નવશેકું પાણી પીવાથી તમારા શરીરમાં રહેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. સવારે ઉઠતાની સાથે જ પીવામાં આવેલુ પાણી તમને દિવસભર હાઇડ્રેટેડ રાખે છે.

2 / 6
કેટલાક લોકો આળસના કારણે પાણી પીવાનું ટાળે છે. આમ કરવાથી ડિહાઈડ્રેશનની સમસ્યામાં વધારો થાય છે. આનાથી બચવા માટે તમારે પાણીની બોટલ સાથે રાખવાની આદત કેળવવી જોઈએ. જેથી તરસ લાગે ત્યારે સરળતાથી પાણી પી શકો.

કેટલાક લોકો આળસના કારણે પાણી પીવાનું ટાળે છે. આમ કરવાથી ડિહાઈડ્રેશનની સમસ્યામાં વધારો થાય છે. આનાથી બચવા માટે તમારે પાણીની બોટલ સાથે રાખવાની આદત કેળવવી જોઈએ. જેથી તરસ લાગે ત્યારે સરળતાથી પાણી પી શકો.

3 / 6
ઘણા લોકો વ્યસ્ત શિડ્યુલના કારણે ખાવા પીવાનું ભુલી જતા હોય છે. આવી સ્થિતિમાં શરીરે હાઈડ્રેટ રાખવા માટે મોબાઈલમાં અથવા તો ઘડિયાળમાં રિમાઈન્ડર મુકવુ જોઈએ.

ઘણા લોકો વ્યસ્ત શિડ્યુલના કારણે ખાવા પીવાનું ભુલી જતા હોય છે. આવી સ્થિતિમાં શરીરે હાઈડ્રેટ રાખવા માટે મોબાઈલમાં અથવા તો ઘડિયાળમાં રિમાઈન્ડર મુકવુ જોઈએ.

4 / 6
જો તમને સાદું પાણી પીવાનું પસંદ ના હોય તો તમે પાણીમાં ફ્લેવર એડ કરીને પણ પાણીનું સેવન કરી શકો છો. પાણી લીંબુ, આદુ અથવા મધ જેવી ઘણી વસ્તુઓ ઉમેરી શકો છો.આ ફક્ત તમારા સ્વાદને જ નહીં વધારશે પણ તમારું વજન ઘટાડવામાં પણ મદદ કરશે.

જો તમને સાદું પાણી પીવાનું પસંદ ના હોય તો તમે પાણીમાં ફ્લેવર એડ કરીને પણ પાણીનું સેવન કરી શકો છો. પાણી લીંબુ, આદુ અથવા મધ જેવી ઘણી વસ્તુઓ ઉમેરી શકો છો.આ ફક્ત તમારા સ્વાદને જ નહીં વધારશે પણ તમારું વજન ઘટાડવામાં પણ મદદ કરશે.

5 / 6
શરીરને હાઇડ્રેટ રાખવા માટે તમે તમારા આહારમાં કાકડી, તરબૂચ, દ્રાક્ષ અથવા નારંગી જેવા હાઇડ્રેટિંગ ખોરાકનો સમાવેશ કરી શકો છો. આ તમારા શરીરને હાઇડ્રેટેડ રાખશે.

શરીરને હાઇડ્રેટ રાખવા માટે તમે તમારા આહારમાં કાકડી, તરબૂચ, દ્રાક્ષ અથવા નારંગી જેવા હાઇડ્રેટિંગ ખોરાકનો સમાવેશ કરી શકો છો. આ તમારા શરીરને હાઇડ્રેટેડ રાખશે.

6 / 6
રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ નવશેકું પાણી પાણી પીવાથી પાચનક્રિયા સારી રાખે છે. આ સાથે જ શરીરમાં અન્ય બિમારીઓ સામે પણ રક્ષણ આપે છે. (  All Image - Freepik )

રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ નવશેકું પાણી પાણી પીવાથી પાચનક્રિયા સારી રાખે છે. આ સાથે જ શરીરમાં અન્ય બિમારીઓ સામે પણ રક્ષણ આપે છે. ( All Image - Freepik )

Next Photo Gallery