Farming Tips : ખેતીમાં ઉધઈનો ઉપદ્રવ રોકવા માટે દેશી અને પરંપરાગત અસરકારક ઉપાયો; ખર્ચ ઓછો, પરિણામ વધુ!

ઉધઈ ખેતી માટે એક ગંભીર જીવાત છે. જે ખાસ કરીને પાકના મૂળ, ડાંઠ અને છોડના નીચલા ભાગને નુકસાન પહોંચાડે છે. સમયસર નિયંત્રણ ન કરવામાં આવે તો પાકની વૃદ્ધિ અટકી શકે છે અને ઉત્પાદન પર સીધી અસર પડી શકે છે.

| Updated on: Jul 01, 2026 | 2:41 PM
1 / 6
કેમિકલ દવાઓ ઉપરાંત કેટલાક દેશી અને પરંપરાગત ઉપાયોથી ઉધઈના નિયંત્રણ પર કંટ્રોલ મુકી શકાય છે. દેશી અને પરંપરાગત ઉપાયો ઉધઈ પર અસરકારક સાબિત થઈ શકે છે. (Image Source | iStock)

કેમિકલ દવાઓ ઉપરાંત કેટલાક દેશી અને પરંપરાગત ઉપાયોથી ઉધઈના નિયંત્રણ પર કંટ્રોલ મુકી શકાય છે. દેશી અને પરંપરાગત ઉપાયો ઉધઈ પર અસરકારક સાબિત થઈ શકે છે. (Image Source | iStock)

2 / 6
લીમડાનું તેલ : બીજને વાવણી પહેલાં લીમડાના તેલથી સારવાર કરવી જોઈએ. તેનાથી ઉધઈ પર નિયંત્રણ મૂકી શકાય છે. આ એક સરળ અને અસરકારક ઉપાય છે. લીમડાના તેલમાં કુદરતી તત્ત્વો હોય છે. તે ઉધઈને બીજ તરફ આકર્ષિત થવાથી અટકાવે છે. શરૂઆતના તબક્કામાં નુકસાન થતું ઘટાડે છે. બીજ પર પાતળું અને સમાન કોટિંગ કરીને તેને છાયામાં સૂકવ્યા બાદ વાવણી કરવાથી બીજનું અંકુરણ પણ સારું રહે છે. સાથે શરૂઆતથી જ પાકને સુરક્ષા મળે છે. (Image Source | iStock)

લીમડાનું તેલ : બીજને વાવણી પહેલાં લીમડાના તેલથી સારવાર કરવી જોઈએ. તેનાથી ઉધઈ પર નિયંત્રણ મૂકી શકાય છે. આ એક સરળ અને અસરકારક ઉપાય છે. લીમડાના તેલમાં કુદરતી તત્ત્વો હોય છે. તે ઉધઈને બીજ તરફ આકર્ષિત થવાથી અટકાવે છે. શરૂઆતના તબક્કામાં નુકસાન થતું ઘટાડે છે. બીજ પર પાતળું અને સમાન કોટિંગ કરીને તેને છાયામાં સૂકવ્યા બાદ વાવણી કરવાથી બીજનું અંકુરણ પણ સારું રહે છે. સાથે શરૂઆતથી જ પાકને સુરક્ષા મળે છે. (Image Source | iStock)

3 / 6
લીમડાનું ખાતર : વાવણી સમયે જમીનમાં લીમડાનું ખાતર ભેળવવાથી ઉધઈનું પ્રમાણ ઘટાડવામાં મદદ મળે છે. લીમડાનું ખાતર ધીમે ધીમે જમીનમાં વિઘટિત થઈ કુદરતી રીતે જીવાતોના વિકાસને અટકાવે છે. આ ઉપાયથી ઉધઈનું નિયંત્રણ થવાની સાથે પાકનો વિકાસ પણ વધુ સારો થાય છે. (Image Source | iStock)

લીમડાનું ખાતર : વાવણી સમયે જમીનમાં લીમડાનું ખાતર ભેળવવાથી ઉધઈનું પ્રમાણ ઘટાડવામાં મદદ મળે છે. લીમડાનું ખાતર ધીમે ધીમે જમીનમાં વિઘટિત થઈ કુદરતી રીતે જીવાતોના વિકાસને અટકાવે છે. આ ઉપાયથી ઉધઈનું નિયંત્રણ થવાની સાથે પાકનો વિકાસ પણ વધુ સારો થાય છે. (Image Source | iStock)

4 / 6
લાકડાની રાખ : સૂકી અને સ્વચ્છ લાકડાની રાખ બીજ સાથે ભેળવવાથી બીજની આસપાસનું વાતાવરણ સૂકું રહે છે. જેના કારણે ઉધઈનો ઉપદ્રવ ઓછો થાય છે. (Image Source | iStock)

લાકડાની રાખ : સૂકી અને સ્વચ્છ લાકડાની રાખ બીજ સાથે ભેળવવાથી બીજની આસપાસનું વાતાવરણ સૂકું રહે છે. જેના કારણે ઉધઈનો ઉપદ્રવ ઓછો થાય છે. (Image Source | iStock)

5 / 6
ખેતરનું સંચાલન : બીજને સારી રીતે સૂકવીને સ્વચ્છ, સૂકા અને હવાબંધ વાસણમાં સંગ્રહ કરવાથી ઉધઈ તથા અન્ય સંગ્રહ જીવાતોના ઉપદ્રવની શક્યતા ઓછી થાય છે. ખેતરમાં સડેલા લાકડા, પાકના અવશેષો અને અન્ય કચરાને સમયસર દૂર કરવાથી ઉધઈના નિવાસસ્થાન નષ્ટ થાય છે. (Image Source | iStock)

ખેતરનું સંચાલન : બીજને સારી રીતે સૂકવીને સ્વચ્છ, સૂકા અને હવાબંધ વાસણમાં સંગ્રહ કરવાથી ઉધઈ તથા અન્ય સંગ્રહ જીવાતોના ઉપદ્રવની શક્યતા ઓછી થાય છે. ખેતરમાં સડેલા લાકડા, પાકના અવશેષો અને અન્ય કચરાને સમયસર દૂર કરવાથી ઉધઈના નિવાસસ્થાન નષ્ટ થાય છે. (Image Source | iStock)

6 / 6
નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

Follow Us