
કિડનીના રોગથી પીડાતા લોકો ખાસ કરીને ડાયાલિસિસ પર રહેલા લોકો ઘણીવાર આંખો સુકાઈ જવાની અને ખંજવાળની ફરિયાદ કરે છે. આનું કારણ શરીરમાં મિનરલ્સ અને ટૉક્સિનનું અસંતુલન હોઈ શકે છે. જો તમને હંમેશા આંખો રગડવાનું મન થાય છે, તો ડૉક્ટરની સલાહ લો.

જો આંખો વારંવાર લાલ દેખાય છે તો સમજી જજો કે, આ કિડની સંબંધિત સમસ્યાનું સંકેત હોઈ શકે છે. આનું કારણ હાઈ બ્લડ પ્રેશર અથવા ડાયાબિટીસ હોઈ શકે છે. ક્યારેક લ્યુપસ નેફ્રાઇટિસ જેવા કિડનીના રોગો પણ આંખોને અસર કરે છે.

કિડનીની સમસ્યા ધરાવતા કેટલાક લોકોને રંગો, ખાસ કરીને વાદળી અને પીળા રંગને અલગ પાડવામાં મુશ્કેલી પડે છે. આ સમસ્યા ઓપ્ટિક નર્વને થયેલ નુકશાન અથવા રેટિના પર લાંબા ગાળાની બીમારીના અસરકારક ફેરફારોને કારણે ઊભી થાય છે. આવા લક્ષણો દેખાય તો તરત જ નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.