
ઇથેનોલ એ રાસાયણિક પદાર્થ છે. જેનુ સૂત્ર CH₃CH₂OH છે. તે પાણીમાં સરળતાથી ભળી જાય છે. તેમાં હળવી અને અનોખી ગંધ હોય છે.

ઇથેનોલ કૃષિ ઉત્પાદનોમાંથી બનતું જૈવ બળતણ છે. પરફ્યુમ અને સેનિટાઇઝર બનાવવા માટે ઇથેનોલનો ઉપયોગ કરવામાં આવે છે. પેટ્રોલમાં ભેળવવામાં આવે ત્યારે તેનો ઉપયોગ બાયોફ્યુઅલ તરીકે થાય છે.

ઇથેનોલનો વધુ ઉપયોગ ખેડૂતો માટે ફાયદાકારક માનવામાં આવે છે. ઇથેનોલ શેરડી, મકાઈ અને અન્ય કૃષિ ઉત્પાદનોમાંથી બનતું જૈવિક પ્રવાહી છે.

ઇથેનોલ મિશ્રિત ઇંધણનો ઉપયોગ સતત વધી રહ્યો છે. ઇથેનોલને ભવિષ્યનું ઇંધણ માનવામાં આવે છે.

ઇથેનોલ રંગહીન (Colorless) છે અને સંપૂર્ણપણે સ્પષ્ટ પ્રવાહી જેવું લાગે છે. ઇથેનોલ ખૂબ જ જ્વલનશીલ હોય છે. તેથી તેનો ઉપયોગ કરતી વખતે ખાસ કાળજી લેવી જોઈએ.

નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.