સુઇ જવાના 3 કલાક પહેલા જ જમવાનું કેમ જરૂરી? સ્ટડીમાં મોટો દાવો

નિષ્ણાંતોના જણાવ્યા મુજબ સૂતાના ઓછામાં ઓછા 3 કલાક પહેલા જમવાનું પૂરું કરવાથી પાચનક્રિયા સુધરે છે અને લાંબાગાળે હાઇ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ તથા હૃદયરોગના જોખમને ઘટાડવામાં મદદ મળી શકે છે.

| Updated on: Mar 11, 2026 | 3:06 PM
1 / 8
સુઇ જવાના 3 કલાક પહેલા જ જમી લેવુ જોઇએ. એક સ્ટડીનો દાવો છે કે હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને હાર્ટ ડિસિઝનો જોખમ ઘટી શકે છે. આધુનિક જીવનશૈલીમાં લોકોના ખાવા-પીવાની અને સૂવાની સમયસૂચીમાં મોટા ફેરફાર જોવા મળે છે. ઘણા લોકો કામના કારણે કે મનોરંજન માટે મોડીરાત સુધી જાગતા રહે છે અને ઘણીવાર સૂતા પહેલાં જ જમવાનું લે છે. પરંતુ આરોગ્ય નિષ્ણાતો કહે છે કે આવી આદત લાંબાગાળે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની શકે છે.

સુઇ જવાના 3 કલાક પહેલા જ જમી લેવુ જોઇએ. એક સ્ટડીનો દાવો છે કે હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને હાર્ટ ડિસિઝનો જોખમ ઘટી શકે છે. આધુનિક જીવનશૈલીમાં લોકોના ખાવા-પીવાની અને સૂવાની સમયસૂચીમાં મોટા ફેરફાર જોવા મળે છે. ઘણા લોકો કામના કારણે કે મનોરંજન માટે મોડીરાત સુધી જાગતા રહે છે અને ઘણીવાર સૂતા પહેલાં જ જમવાનું લે છે. પરંતુ આરોગ્ય નિષ્ણાતો કહે છે કે આવી આદત લાંબાગાળે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની શકે છે.

2 / 8
તાજેતરના એક અભ્યાસ મુજબ જો વ્યક્તિ સુઇ જવાના ઓછામાં ઓછા ત્રણ કલાક પહેલા જમવાનું પૂર્ણ કરે તો શરીરને અનેક રીતે લાભ મળી શકે છે. વિજ્ઞાનીઓનું કહેવું છે કે જમ્યા પછી તરત જ સૂઈ જવાથી શરીરને ખોરાક પચાવવા પૂરતો સમય મળતો નથી. પરિણામે પાચનતંત્ર પર વધુ ભાર પડે છે. જો વ્યક્તિ સમયસર જમવાનું કરે તો પાચનક્રિયા સરળ બને છે અને શરીરના આંતરિક તંત્રો વધુ સંતુલિત રીતે કામ કરી શકે છે. આ કારણસર લાંબાગાળે અનેક બીમારીઓનો જોખમ ઘટાડવામાં પણ મદદ મળી શકે છે.

તાજેતરના એક અભ્યાસ મુજબ જો વ્યક્તિ સુઇ જવાના ઓછામાં ઓછા ત્રણ કલાક પહેલા જમવાનું પૂર્ણ કરે તો શરીરને અનેક રીતે લાભ મળી શકે છે. વિજ્ઞાનીઓનું કહેવું છે કે જમ્યા પછી તરત જ સૂઈ જવાથી શરીરને ખોરાક પચાવવા પૂરતો સમય મળતો નથી. પરિણામે પાચનતંત્ર પર વધુ ભાર પડે છે. જો વ્યક્તિ સમયસર જમવાનું કરે તો પાચનક્રિયા સરળ બને છે અને શરીરના આંતરિક તંત્રો વધુ સંતુલિત રીતે કામ કરી શકે છે. આ કારણસર લાંબાગાળે અનેક બીમારીઓનો જોખમ ઘટાડવામાં પણ મદદ મળી શકે છે.

3 / 8
નિષ્ણાતો જણાવે છે કે માનવ શરીર એક કુદરતી સમયચક્ર અનુસાર કાર્ય કરે છે, જેને “સર્કેડિયન રિધમ” કહેવામાં આવે છે. આ કુદરતી ઘડિયાળ આપણા ઊંઘ, પાચન અને હોર્મોનના સંતુલનને નિયંત્રિત કરે છે. જો વ્યક્તિ વારંવાર મોડીરાત્રે ખોરાક લે છે તો આ પ્રક્રિયા પર અસર પડે છે. મોડું જમવાથી રાત્રિના સમયે પણ પાચનતંત્ર સક્રિય રહે છે, જેના કારણે શરીરને પૂરતો આરામ મળતો નથી અને મેટાબોલિઝમમાં પણ ગડબડ થઈ શકે છે.

નિષ્ણાતો જણાવે છે કે માનવ શરીર એક કુદરતી સમયચક્ર અનુસાર કાર્ય કરે છે, જેને “સર્કેડિયન રિધમ” કહેવામાં આવે છે. આ કુદરતી ઘડિયાળ આપણા ઊંઘ, પાચન અને હોર્મોનના સંતુલનને નિયંત્રિત કરે છે. જો વ્યક્તિ વારંવાર મોડીરાત્રે ખોરાક લે છે તો આ પ્રક્રિયા પર અસર પડે છે. મોડું જમવાથી રાત્રિના સમયે પણ પાચનતંત્ર સક્રિય રહે છે, જેના કારણે શરીરને પૂરતો આરામ મળતો નથી અને મેટાબોલિઝમમાં પણ ગડબડ થઈ શકે છે.

4 / 8
 નિષ્ણાતોનું કહેવું છે કે જો લોકો સતત મોડીરાત્રે જમવાનું કરે છે તો સમય જતાં શરીરમાં અનેક સમસ્યાઓ ઊભી થઈ શકે છે. પાચનતંત્ર પર વધતો ભાર એસિડિટી, અપચો અને ગેસ જેવી સમસ્યાઓને જન્મ આપી શકે છે. તેની સાથે મેટાબોલિઝમ ધીમું પડી શકે છે, જેના કારણે વજન વધવાનું જોખમ પણ વધી શકે છે. આ ઉપરાંત લાંબા સમય સુધી આવી આદત ચાલુ રહે તો હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને હૃદય સંબંધિત બીમારીઓનો જોખમ પણ વધી શકે છે. કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે મોડું જમવાનું શરીરમાં બ્લડ શુગરના સ્તર પર પણ અસર કરી શકે છે, જે ભવિષ્યમાં સ્વાસ્થ્ય માટે પડકારરૂપ બની શકે છે.

નિષ્ણાતોનું કહેવું છે કે જો લોકો સતત મોડીરાત્રે જમવાનું કરે છે તો સમય જતાં શરીરમાં અનેક સમસ્યાઓ ઊભી થઈ શકે છે. પાચનતંત્ર પર વધતો ભાર એસિડિટી, અપચો અને ગેસ જેવી સમસ્યાઓને જન્મ આપી શકે છે. તેની સાથે મેટાબોલિઝમ ધીમું પડી શકે છે, જેના કારણે વજન વધવાનું જોખમ પણ વધી શકે છે. આ ઉપરાંત લાંબા સમય સુધી આવી આદત ચાલુ રહે તો હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને હૃદય સંબંધિત બીમારીઓનો જોખમ પણ વધી શકે છે. કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે મોડું જમવાનું શરીરમાં બ્લડ શુગરના સ્તર પર પણ અસર કરી શકે છે, જે ભવિષ્યમાં સ્વાસ્થ્ય માટે પડકારરૂપ બની શકે છે.

5 / 8
અભ્યાસમાં 36થી 75 વર્ષની ઉંમરના 139 ઓવરવેઈટ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ લોકોમાં પહેલાથી જ ડાયાબિટીસ અને હૃદયરોગ થવાનો જોખમ હતો. સંશોધકો દ્વારા તેમને બે જુદા જૂથોમાં વહેંચવામાં આવ્યા અને તેમની ખોરાકની સમયસૂચી તથા જીવનશૈલી પર ધ્યાન આપવામાં આવ્યું. એક જૂથે લગભગ 16 કલાક સુધી ઉપવાસ રાખવાનો નિયમ અપનાવ્યો, જ્યારે બીજા જૂથે લગભગ 13 કલાક સુધી ખોરાક વગરનું અંતર રાખ્યું. બંને જૂથોને સલાહ આપવામાં આવી કે તેઓ સૂતા પહેલાં ઓછામાં ઓછા ત્રણ કલાક પહેલા જમવાનું પૂર્ણ કરે.

અભ્યાસમાં 36થી 75 વર્ષની ઉંમરના 139 ઓવરવેઈટ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ લોકોમાં પહેલાથી જ ડાયાબિટીસ અને હૃદયરોગ થવાનો જોખમ હતો. સંશોધકો દ્વારા તેમને બે જુદા જૂથોમાં વહેંચવામાં આવ્યા અને તેમની ખોરાકની સમયસૂચી તથા જીવનશૈલી પર ધ્યાન આપવામાં આવ્યું. એક જૂથે લગભગ 16 કલાક સુધી ઉપવાસ રાખવાનો નિયમ અપનાવ્યો, જ્યારે બીજા જૂથે લગભગ 13 કલાક સુધી ખોરાક વગરનું અંતર રાખ્યું. બંને જૂથોને સલાહ આપવામાં આવી કે તેઓ સૂતા પહેલાં ઓછામાં ઓછા ત્રણ કલાક પહેલા જમવાનું પૂર્ણ કરે.

6 / 8
સાથે સાથે રાત્રે તેજ પ્રકાશ ઓછો રાખવા અને નિયમિત ઊંઘ લેવાની સલાહ પણ આપવામાં આવી. અભ્યાસના પરિણામોમાં જાણવા મળ્યું કે જેમણે લાંબા સમય સુધી ખોરાક વગરનું અંતર રાખ્યું અને સમયસર જમવાનું પૂર્ણ કર્યું, તેમના સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો. ખાસ કરીને આવા લોકોમાં બ્લડ પ્રેશર ઓછું જોવા મળ્યું અને બ્લડ શુગર પણ વધુ નિયંત્રણમાં રહ્યું. ઉપરાંત તેમના શરીરમાં ઇન્સુલિનની અસરકારકતા અને ગ્લૂકોઝ નિયંત્રણ પણ સુધર્યું હોવાનું જાણવા મળ્યું.

સાથે સાથે રાત્રે તેજ પ્રકાશ ઓછો રાખવા અને નિયમિત ઊંઘ લેવાની સલાહ પણ આપવામાં આવી. અભ્યાસના પરિણામોમાં જાણવા મળ્યું કે જેમણે લાંબા સમય સુધી ખોરાક વગરનું અંતર રાખ્યું અને સમયસર જમવાનું પૂર્ણ કર્યું, તેમના સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો. ખાસ કરીને આવા લોકોમાં બ્લડ પ્રેશર ઓછું જોવા મળ્યું અને બ્લડ શુગર પણ વધુ નિયંત્રણમાં રહ્યું. ઉપરાંત તેમના શરીરમાં ઇન્સુલિનની અસરકારકતા અને ગ્લૂકોઝ નિયંત્રણ પણ સુધર્યું હોવાનું જાણવા મળ્યું.

7 / 8
નિષ્ણાંતો કહે છે કે સ્વસ્થ જીવન માટે માત્ર શું ખાવું તે જ નહીં, પરંતુ ક્યારે ખાવું તે પણ એટલું જ મહત્વપૂર્ણ છે. જો લોકો સમયસર જમવાનું અને પૂરતી ઊંઘ લેવાની આદત વિકસાવે તો ઘણા આરોગ્ય સંબંધિત જોખમોથી બચી શકાય છે. સંશોધનમાં સલાહ આપવામાં આવી છે કે શક્ય હોય તો લોકો રાત્રિભોજન સાંજે લગભગ 8 વાગ્યા સુધી કરી લે અને લગભગ 11 વાગ્યા સુધી સૂઈ જાય. આ રીતે શરીરને ખોરાક પચાવવા પૂરતો સમય મળે છે અને રાત્રે શરીર આરામથી પોતાની કુદરતી પ્રક્રિયાઓ પૂર્ણ કરી શકે છે.

નિષ્ણાંતો કહે છે કે સ્વસ્થ જીવન માટે માત્ર શું ખાવું તે જ નહીં, પરંતુ ક્યારે ખાવું તે પણ એટલું જ મહત્વપૂર્ણ છે. જો લોકો સમયસર જમવાનું અને પૂરતી ઊંઘ લેવાની આદત વિકસાવે તો ઘણા આરોગ્ય સંબંધિત જોખમોથી બચી શકાય છે. સંશોધનમાં સલાહ આપવામાં આવી છે કે શક્ય હોય તો લોકો રાત્રિભોજન સાંજે લગભગ 8 વાગ્યા સુધી કરી લે અને લગભગ 11 વાગ્યા સુધી સૂઈ જાય. આ રીતે શરીરને ખોરાક પચાવવા પૂરતો સમય મળે છે અને રાત્રે શરીર આરામથી પોતાની કુદરતી પ્રક્રિયાઓ પૂર્ણ કરી શકે છે.

8 / 8
નિષ્ણાતોનું માનવું છે કે દૈનિક જીવનમાં નાના ફેરફાર કરીને પણ સ્વાસ્થ્યમાં મોટો સુધારો લાવી શકાય છે. સમયસર જમવાનું, પૂરતી ઊંઘ લેવી, નિયમિત વ્યાયામ કરવો અને સંતુલિત આહાર લેવો – આ તમામ બાબતો લાંબા ગાળે શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ બની શકે છે. જો કે, દરેક વ્યક્તિનું શરીર અલગ હોય છે. તેથી કોઈપણ નવી ડાયેટ અથવા જીવનશૈલી અપનાવતા પહેલાં પોતાના ડોક્ટર અથવા આરોગ્ય નિષ્ણાતની સલાહ લેવી જરૂરી માનવામાં આવે છે. યોગ્ય માર્ગદર્શન સાથે અપનાવેલી સ્વસ્થ આદતો લાંબા ગાળે શરીરને અનેક બીમારીઓથી બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. (All Image Cradit - Social Media)

નિષ્ણાતોનું માનવું છે કે દૈનિક જીવનમાં નાના ફેરફાર કરીને પણ સ્વાસ્થ્યમાં મોટો સુધારો લાવી શકાય છે. સમયસર જમવાનું, પૂરતી ઊંઘ લેવી, નિયમિત વ્યાયામ કરવો અને સંતુલિત આહાર લેવો – આ તમામ બાબતો લાંબા ગાળે શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ બની શકે છે. જો કે, દરેક વ્યક્તિનું શરીર અલગ હોય છે. તેથી કોઈપણ નવી ડાયેટ અથવા જીવનશૈલી અપનાવતા પહેલાં પોતાના ડોક્ટર અથવા આરોગ્ય નિષ્ણાતની સલાહ લેવી જરૂરી માનવામાં આવે છે. યોગ્ય માર્ગદર્શન સાથે અપનાવેલી સ્વસ્થ આદતો લાંબા ગાળે શરીરને અનેક બીમારીઓથી બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. (All Image Cradit - Social Media)

Follow Us