
સ્વાસ્થ્યની દૃષ્ટિએ જોવામાં આવે તો દરેક ફળને છોલીને ખાવું જરૂરી નથી. યોગ્ય રીતે ધોઈને અને સાફ કરીને કેટલાક ફળો છાલ સાથે જ ખાવા વધુ લાભદાયી બની શકે છે.

ખાટા-મીઠા આલુ બુખારામાં ભરપૂર માત્રામાં પોષણ હોય છે. તેમાં પોટેશિયમ, વિટામિન C, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, જેવા પોષક તત્વો હોય છે.

નાશપતીના છાલમાં ફાઇબરની માત્રા વધુ હોય છે. જે પાચન તંત્ર માટે ફાયદાકારક છે. ફાઇબર શરીરમાં પાચન પ્રક્રિયાને તે સુધારે છે.

કીવીના છાલમાં ફાઇબર, ફોલેટ, વિટામિન E અને C હોય છે. કીવીના છાલમાં એન્ટીઓક્સિડન્ટ્સ પણ વધુ હોય છે. જે શરીરમાં નુકસાનકારક તત્વો સામે રક્ષણ કરે છે.

નિષ્ણાતોના મુજબ, સફરજનના છાલ કેન્સરના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે અને અને રોગપ્રતિકારક શક્તિ માટે લાભદાયી છે.

ચીકુના છાલમાં આયર્ન સહિત ઘણા તત્વો હોય છે જે શરીરને શક્તિ પૂરી પાડે છે.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર નિષ્ણાતોના અને રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.