
શાસ્ત્ર અનુસાર, તોરણ લગાવવાથી ઘરમાં સકારાત્મકતા અને પવિત્રતા આવે છે. આ પરિવારના સભ્યોને સ્વસ્થ રાખે છે. જો તમે કેરી અથવા આસોપાલવના પાંદડાથી બનેલું તોરણ લગાવ્યું હોય તો તેને લાંબા સમય સુધી લગાવેલું ન રાખવું જોઈએ.

ક્યારેક બધું બરાબર હોવા છતાં કામ અટકી જાય છે. નવું કામ શરૂ કરો કે કોઈ શુભ કાર્યક્રમ યોજો, નાની-નાની અડચણો સામે આવે છે. આવી સ્થિતિમાં આસપાસની નાની બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે. જેમ કે મંદિરમાં અથવા તો ઘરની બાહેર લગાવેલું તોરણ.

શાસ્ત્રમાં મંગળવાર, ગુરુવાર, શનિવાર, એકાદશી અને પૂર્ણિમા જેવા દિવસે તોરણ બદલવા માટે શુભ દિવસ માનવામાં આવેલા છે. આ દિવસોમાં તોરણ બદલવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે. જોકે સૂકું તોરણને ક્યારેય કચરાપેટીમાં ફેંકવું નહીં. સૂકું તોરણને જમીનમાં દાટી દેવું અથવા તો વહેતા પાણીમાં વિસર્જન કરી દેવું.

નવું તોરણ લગાવ્યા પછી તેને 10થી 15 દિવસ પછી બદલવું જોઈએ. આનાથી ઘરની ઉર્જા પર કોઈ અસર થતી નથી અને સકારાત્મકતા જળવાઈ રહે છે.

શાસ્ત્રમાં સુકા પાંદડા સ્થિરતા, નકારાત્મકતા અને નબળાઈનું પ્રતીક માનવામાં આવે છે. તેથી, ઘરમાં સુકા તોરણ ઘણા લોકો માટે તણાવ અથવા કામમાં અવરોધોનું કારણ બની શકે છે.

નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર વાસ્તુ, જ્યોતિષ અને રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.