
સવારે ઉઠતાની સાથે જ ફોનનો ઉપયોગ કરવાની આદત તણાવ વધારી શકે છે. ઘણી વખત જ્યારે આપણે સવારે ઉઠતાની સાથે જ આપણો મોબાઈલ ચાલુ કરીએ છીએ, ત્યારે આપણને નોટિફિકેશન અને મેસેજ જોવા મળે છે, જેના કારણે તણાવ વધે છે અને આપણો મૂડ ખરાબ થાય છે.

સવારે ઉઠતાની સાથે જ મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાથી તમે તમારા કામ પર ફોકસ કરી શકતા નથી, જેના કારણે તમારી પ્રોડક્ટિવિટી ઘટી જાય છે.

નિષ્ણાતોના મુજબ સવારે ઉઠ્યા પછી, કસરત કરવી જોઈએ. કસરત કરીને આપણે આપણા પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને સારી રીતે મેનેજ કરી શકીએ છીએ.