
દહીં અને બાફેલા ઈંડાનું એકસાથે સેવન કરવું પણ યોગ્ય માનવામાં આવતું નથી. આ બંને પ્રોટીનના સારા સ્ત્રોત છે, પરંતુ જ્યારે એકસાથે ખાવામાં આવે છે, ત્યારે તે પાચન તંત્ર પર દબાણ લાવે છે, જેનાથી પેટમાં ભારેપણું અને ગેસની સમસ્યા થાય છે.

ડુંગળી અને દહીંનું મિશ્રણ પણ ટાળવું જોઈએ. આ મિશ્રણ પાચનતંત્રને નુકસાન પહોંચાડે છે અને પેટમાં બળતરા, ગેસ અને અન્ય સમસ્યાઓનું કારણ બને છે.

રાત્રે દહીંનું સેવન કરવું પણ સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવતું નથી. આયુર્વેદ અનુસાર રાત્રે દહીં ખાવાથી કફનો દોષ વધે છે, જેનાથી શરદી, ઉધરસ અને કફ જેવી સમસ્યા થઈ શકે છે.

દહીં અને કેરીનું મિશ્રણ સ્વાદિષ્ટ લાગે છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે સારું નથી. કેરી અને દહીંનું એકસાથે સેવન કરવાથી શરીરમાં ઝેરી તત્વો બને છે, જેનાથી પાચન સંબંધી સમસ્યાઓ અને ત્વચા સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.

જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લો