
CSR ગણતરી બતાવે છે અને CPR વાસ્તવિક રકમ બતાવે છે. CSR સારું હોઈ શકે છે પરંતુ CPR તમને વાસ્તવિકતા બતાવે છે કે કેટલા પૈસા લોકોને મળ્યા.

વીમાનો હેતુ મુશ્કેલ સમયમાં પરિવારને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. હવે જો વીમા કંપની તે સમયે પૈસા ચૂકવતી નથી, તો તે વીમાનો ઉપયોગ શું? આથી, CPR પર ધ્યાન દોરવું મહત્ત્વપૂર્ણ બને છે. આ દર્શાવે છે કે, વીમા કંપની ખરેખર લોકોને મદદ કરી રહી છે, ફક્ત કાગળ પર વચનો નથી આપી રહી.

Insurance Regulatory and Development Authority of India (આઈઆરડીએઆઈ) ના અહેવાલ મુજબ, વર્ષ 2023-24માં ભારતમાં જીવન વીમા કંપનીઓનો સરેરાશ ક્લેમ પેઈડ રેશિયો 96.82% રહ્યો હતો. આનો અર્થ એ થાય છે કે, દરેક 100 દાવામાંથી લગભગ 97 દાવાઓમાં વીમા રકમ ચૂકવવામાં આવી હતી.

જો તમે વીમો ખરીદવાનું વિચારી રહ્યા છો, તો ચોક્કસપણે સીપીઆર અને સીએસઆર પર વધુ ધ્યાન આપો. આ ઉપરાંત, પૉલિસીની બધી શરતો કાળજીપૂર્વક વાંચો, નોમિનીની માહિતી હંમેશા અપડેટ રાખો અને તમે જે પણ બીજી માહિતી આપી રહ્યા છો તે સાચી હોવી જોઈએ તેનું પણ ધ્યાન રાખો. ખોટી માહિતી અથવા અધૂરી મેડિકલ ડિટેલ્સ પાછળથી ક્લેમ રોકાવાનું મોટું કારણ બની શકે છે.