
ઐતિહાસિક રીતે દેસાઈ એ વિવિધ રાજ્યો ની સરકારો દ્વારા આપવામાં આવતું બિરુદ હતું. આ પદવી એવી વ્યક્તિને આપવામાં આવતી હતી જે કોઈ વિસ્તારનો મહેસૂલ એકત્રિત કરતો હોય અથવા સ્થાનિક વહીવટનો હવાલો સંભાળતો હોય.

મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં આ અટક દેશસ્થ બ્રાહ્મણો, કુલકર્ણી અને ચિત્પાવન બ્રાહ્મણોમાં પ્રચલિત છે. ગુજરાતમાં, આ અટક વણિક, પશુપાલક સાથે સંકળાયેલા લોકો, પટેલ, અથવા લેઉવા/કણબી સમુદાયો જેવી અન્ય જાતિઓમાં પણ જોવા મળે છે.

જૂના સમયમાં "દેસાઈ" વ્યક્તિને ગામના જમીનમાલિક તરીકે પણ ગણવામાં આવતો હતો. ઘણી વખત તેમની પાસે ન્યાય અને કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી પણ હતી.

આજે દેસાઈ એક સામાન્ય અટક છે અને તેનો સામાજિક દરજ્જો પ્રદેશ પ્રમાણે બદલાય છે. કેટલાક દેસાઈ પરિવારો રાજકારણ, શિક્ષણ, વહીવટ અને વ્યવસાયમાં પણ અગ્રણી રહ્યા છે.

દેસાઈ અટકના પ્રસિદ્ધ લોકોની વાત કરીએ તો ભારતના ચોથા વડા પ્રધાન મોરારજી દેસાઈ, બાળાસાહેબ દેસાઈ જેઓ મહારાષ્ટ્રના શિક્ષિણ મંત્રી અને સામાજિક નેતા હતા. જ્યારે નાના દેસાઈ સમાજ સેવક અને લેખક છે. તેમજ ફિલ્મ નિર્માતા અને દિગદર્શક મનમોહન દેસાઈ સહિતની પ્રસિદ્ધ છે. (નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)
Published On - 10:14 am, Tue, 20 May 25