બંગાળની ખાડીમાં સર્જાયેલ વાવાઝોડુ દાના ધીમે ધીમે ઓડિશા તરફ આગળ વધી રહ્યુ છે. વાવાઝોડુ દાનાની અસર હેઠળ 120 કિલોમીટરની ઝડપે તોફાની પવન ફૂંકાવવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આવતીકાલ સુધીમાં ઓડિશાના દરિયાકાંઠે વાવાઝોડુ ત્રાટકશે. જેને ધ્યાને લઈને વાવાઝોડાની જેને અસર થવાની છે સંભાવના છે તેવા 14 જિલ્લાને સાંકળતી ટ્રેન અને વિમાની સેવા હાલ પુરતી સ્થગિત કરી દેવાઈ છે.