
વિશ્વ હિંદુ પરિષદના રાષ્ટ્રીય ખજાનચી દિનેશ નાવડિયાએ ગ્રીન લેબ ડાયમંડ કંપનીના મુકેશ પટેલને અયોધ્યામાં નવનિર્મિક મંદિરમાં બિરાજમાન થનાર ભગવાન શ્રી રામ માટે આભૂષણો અર્પણ કરવા પ્રેર્યા હતા

ગ્રીન લેબ ડાયમંડ કંપનીના મુકેશ પટેલે પરિવારજનો અને કંપનીમાં પરામર્શ કરીને નક્કી કર્યુ કે ભગવાન શ્રી રામ માટે સોનાના આભૂષણોથી જડેલો મુગટ અર્પણ કરશે

વિએચપીના રાષ્ટ્રીય ખજાનચી દિનેશ નાવડિયાએ જણાવ્યુ કે 5 જાન્યુઆરીએ જ્યારે અયોધ્યામાં નવનિર્મિત મંદિર ભગવાન રામની કઈ મૂર્તિ વિરાજમાન કરવી તે નક્કી થયા બાદ એ જ દિવસે સુરતમાં ઉદ્યોગપતિને તેની જાણકારી અપાઈ હતી. સુરતથી ગ્રીન લેબ કંપનીના બે કર્મચારી ભગવાન શ્રી રામની મૂર્તિના મસ્તકનું માપ લેવા માટે ખાસ વિમાન મારફતે અયોધ્યા મોકલવામાં આવ્યા હતા અને કર્મચારી મૂર્તિના મસ્તકનું માપ લઈ સીધા સુરત આવ્યા ત્યારૂબાદ ભગવાન રામલલ્લા માટે મુગટ બનાવવાનુ કામ શરૂ કરાયુ હતુ.

6 કિલો વજનના મુગટમાં સાડા ચાર કિલો સોનુ વપરાયુ છે આ ઉપરાંત નાની મોટી સાઈઝના હિરા-માણેક, મોતી, પર્લ, નીલમ વગેરે રત્નો જડવામાં આવ્યા છે. તમામ સામગ્રીના ઉપયોગ બાદ મુગટનું જે સ્વરૂપ સર્જાયુ એ અયોધ્યાના વિશ્વપ્રસિદ્ધ નવનિર્મિત મંદિરમાં બિરાજમાન થયેલા ભગવાન રામના મસ્તકની શોભા વધારશે
Published On - 11:08 pm, Mon, 22 January 24