
ICC રૂલબુક અનુસાર ક્રિકેટનો ત્રીજો નિયમ છે સ્કોરર્સ. એટલે કે સ્કોર રાખનારા (લખનાર) અધિકારી. ક્રિકેટની દરેક મેચના સ્કોર માટે તેઓ જવાબદાર હોય છે.

નિયમ પ્રમાણે, દરેક મેચ માટે બે સ્કોરર્સ રાખવામાં આવે છે. એમનું મુખ્ય કામ છે રન, વિકેટ અને ઓવર્સનો સાચો હિસાબ રાખવો.

સ્કોરર્સને પોતાના સ્કોરબુક નિયમિત રીતે ચેક કરતા રહેવું પડે છે. બંને સ્કોરર્સને એકબીજાના ડેટા સરખાવી ખાતરી કરવાની હોય છે કે સ્કોર સાચો છે કે નહીં.

જેમ જ અમ્પાયર કોઈ સંકેત આપે છે (જેમ કે આઉટ, નોબોલ, વાઈડ વગેરે), સ્કોરર્સે એ સંકેત જલદી ઓળખવો અને સ્કોરબુકમાં નોંધવું જરૂરી છે.

સ્કોરર્સ, ક્રિકેટ મેચના સત્તાવાર રેકોર્ડર હોય છે. એમણે અમ્પાયર સાથે સતત જોડાણ રાખવું પડે છે જેથી કોઈ ભૂલ ન થાય અને સ્કોર સચોટ રહે. (All Photo Credit : PTI / ICC / MCC / X)
Published On - 7:28 pm, Wed, 23 July 25